SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ સાયંકાળેઃ (૧) ક્ષમાપનાને પાઠ (૨) બે ઘડી ઉપશાંત વ્રત (૩) કર્મવિષયની જ્ઞાનચર્ચા. રાત્રિ ભેજન સર્વ પ્રકારને સર્વથા ત્યાગ. બને તો ભાદ્રપદ પૂર્ણિમા સુધી એકવખત આહારગ્રહણ પંચમીને દિવસે ઘી, દૂધ, તેલ, દહીંને પણ ત્યાગ. ઉપશાંત વ્રતમાં વિશેષ કાળ નિર્ગમન, બને તે ઉપવાસ ગ્રહણ કરવો. લીલેરી સર્વથા ત્યાગ. બ્રહ્મચર્ય આઠે દિવસ પાળવું, બને તો ભાદ્રપદ પૂનમ સુધી. ૧૧૧૮ પ્ર. પર્યુષણની આરાધના માટે ક્યાં ક્યાં સાધને કહ્યાં છે ? ઉ. (૧) પહેલું સાધન સર્વત્ર અ–મારિ પ્રવર્તન. (સંપૂર્ણ અહિંસા). પર્વની આરાધના કરવા ઈચ્છનારે પોતે જ આરંભ સમારંભની ક્રિયા પણ તજવી જોઈએ. (૨) બીજુ સાધન સાધર્મિક વાત્સલ્ય : ફક્ત દુનિયાદારીની જ વાત કરે તે સાધમ નહીં પણ જેઓ આત્મસ્વરૂપને વિકસાવનારા (વીર પ્રભુના) ધર્મનું ચિંતન કરવામાં સહાય કરે તે જ ધર્મી. એક પલ્લામાં બધા ધર્મ મૂકે અને બીજા પલ્લામાં સાધમ ભક્તિ મૂકે, તે સાધર્મ ભક્તિનું પલ્લું નીચે જાય; કારણ કે પહેલા પલ્લામાં તે ધર્મ જ છે અને આ પલ્લામાં તે ધર્મ અને ધર્મી બેય ! (૩) ત્રીજું પરસ્પર ક્ષમાપના : સંવત્સરીના દિવસે પાપની આલોચના હૃદયથી થાય; આલેચના કરતી વખતે આંખમાંથી પાછું આવે; એક એક પાપોને તીવ્ર પશ્ચાતાપ થાય. રોજને અભ્યાસી સાચું પ્રતિક્રમણ કરી શકે. ત્રણસેં સાઠમે દિવસે ત્રણ કલાક હોહા કરી જાય, એટલે માત્રથી પાપ ખલાસ ન થાય. (૪) ચોથું સાધન અઠ્ઠમ તપ : દરેક પંદર દિવસે એક ઉપવાસનું તપ, ચાર મહિને છઠ્ઠનું તપ અને વાર્ષિક પર્વમાં અઠ્ઠમનું તપ કહ્યું છે. સમ્યકત્વ વગરના તપની આ શાસનમાં તપ હિન્દુ કહે રામ હમારા, મુસલમાન કહે ખુદા, કહત કબીર સુનો ભાઈ સાધે, અબ પકડ લે એક મુદ્દા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy