SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ આવૃત્તિનું સંક્ષિપ્ત નિવેદન જીવને પરમાર્થ માર્ગની રુચિ થતાં, ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે અને તે પ્રશ્નોનું યોગ્ય સમાધાન ન થતાં અમૂલ્ય ભવ એળે જાય છે. આમ અનેક પ્રશ્નોનું યોગ્ય સમાધાન મેળવતાં લાંબે સમય વ્યતીત થઈ ગયો અને ઘણું પ્રયત્નો પછી મને જોગાનુજોગ જૈન દર્શનની સર્વોત્તમતાની પ્રતીતિ થઈ. જે મને આટલા લાંબા સમય પછી પ્રાપ્ત થયું તે બીજા મુમુક્ષુ ભાઈબહેનોને ત્વરાથી અને સહેલાઈથી મળી શકે તે શુભાશયથી, છેલ્લાં અઢી-ત્રણ વર્ષોથી આ પુસ્તક તૈયાર કરવામાં કાર્યશીલ હતા. આ પુસ્તકમાં સંસ્કૃત અથવા અર્ધમાગ્દી ભાષાને કઈ પણ ઉપયોગ કર્યો નથી, કારણ કે તેના ગુજરાતી ભાષાંતર વગર આમ જનતાને સમજવું મુશ્કેલ છે તેથી બારેબાર ગુજરાતીમાં જ ભાષાંતર આપી દીધેલ છે. તદ્ઉપરાંત અંગ્રેજી ભાષાના એક પણ શબ્દનો ઉપયોગ નથી. જેના દર્શન મમ અને ઊંડાઈ વ્યક્ત કરવાને માટે અંગ્રેજી ભાષા તદ્દન અસમર્થ છે, પાંગળી છે; ભાષામાં શબ્દો નથી. અંગ્રેજી ભાષા આવડે છે તેમ બતાવી મારી વિદ્રત્તા દર્શાવવાની મને કંઈ જરૂર નથી. આ પુસ્તકમાં આપેલા પ્રશ્નો મુખ્યત્વે મારા છે, પણ તેના ઉત્તરે અક્ષરશઃ જ્ઞાની ભગવંતોની વાણી અને વિદ્વાન પંડિતનાં જ વચનો છે. તેમાં મારા પિતાને એક શબ્દ પણ નથી. જ્યાં જ્યાં પૂર્વાપર સંબંધ જાળવવા અમુક શબ્દો ઉમેરવા જેવા મને લાગ્યા છે ત્યાં તે મારા શબ્દો કસમાં મૂક્યા છે. આ પુસ્તક મારું લખેલું છે કે હું તેને લેખક છું તેમ કોઈ ભૂલચૂકથી પણ ન સમજે, તેથી તે હું જ છેષમાં પડું. આ પુસ્તકમાં મારું તે કાંઈ જ નથી. આ પુસ્તક તૈયાર કરવા માટે જે જે પુસ્તકોનો આધાર લીધે છે તેની યાદી આ પુસ્તકમાં અન્ય સ્થળે આપી છે. જૈન ધર્મના દરેક મતોનું સંકલન કરવાને મેં અહીં પ્રગર્યો છે અને તેમ કરતાં અમુક મત, ગ૭, વગની લાગણીઓ જાણતાં-અજાણતાં મારાથી કદાચ દુભાવાઈ હોય તે હું ક્ષમાને યોગ્ય છું. મારો આશય તે શુભ જ છે. આ પુરતક તૈયાર કરી પ્રકાશન કરવામાં ભારે કઈ મોહભાવ નથી કે માનની વૃત્તિ પિધવાની ઈચ્છા નથી. હું મારી વિકતા દર્શાવવા આ પુસ્તકની રચના કરી છપાવી રહ્યો નથી; હું તો પામર અને અજ્ઞાન છું; પણ ધર્મની પ્રભાવને થાય, અને જિજ્ઞાસુ જીવોને કાંઈ ફાયદો થાય તે આ પુસ્તકનું ધ્યેય સફળ થયું કહેવાય. સ્વાધીન સદન, દિનેશ મોદી ચર્ચગેટ, મુંબઈ અષાઢ સુદ એકાદશી ૨૭-૬-૧૯૭૭ સંવત ૨૦૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy