SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ ઉ. જે શક્તિના કારણથી દ્રવ્ય કોઈ ને કોઈ જ્ઞાનને વિષય હેય તેને પ્રમેયત્વ ગુણ કહે છે. ૩૬૪ છે. જગતમાં કેટલા દ્રવ્યો પ્રમેયત્વ ગુણવાળાં છે ? ઉ. બધાય દ્રવ્યો પ્રમેયત્વ ગુણવાળાં છે, કારણ કે તે ગુણ બધાં દ્રવ્યોને સામાન્ય ગુણ છે. ૩૬૫ પ્ર. આત્મા તે અરૂપી છે અને અમારું જ્ઞાન ઘણું અ૮૫ છે, તે આત્માનું જ્ઞાન કેમ થઈ શકે ? ઉ. એમ હોવા છતાં પણ આત્માનું જ્ઞાન બરોબર થઈ શકે છે; કેમ કે તેનામાં (આત્મામાં) પણ પ્રમેયત્વ ગુણ રહેલો છે, તેમ જ સમ્યગુ મતિ અને શ્રુતજ્ઞાનને વિષય થઈ શકે છે માટે યથાર્થ સમજણને પુરુષાર્થ કરવામાં આવે તે આત્માનું જ્ઞાન અવશ્ય થઈ શકે. ૩૬૬ પ્ર. જાણવાની અને જણાવાની એમ બંને શક્તિ એકી સાથે કેનામાં છે ? ઉ. જાણવાની જ્ઞાનશક્તિ અને જણાવાની પ્રમેયત્વશક્તિ બંને એકી સાથે જીવ દ્રવ્યમાં જ છે. ૩૬૭ પ્ર. અગુરુલઘુત્વ ગુણ કોને કહે છે. ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની દ્રવ્યતા કાયમ રહે અર્થાત (૧) એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપે ન થાય, (૨) એક ગુણ બીજા ગુણરૂપે ન થાય અને (૩) એક દ્રવ્યના અનેક અથવા અનંત ગુણવિખરાઈને જુદા જુદા ન થઈ જાય, તે શક્તિને અગુરુલઘુત્વ ગુણ કહે છે. ૩૬૮ પ્ર. અગુરુલઘુત્વ ગુણ ઉપરથી વિશેષ શું સમજવું ? ઉ. (૧) કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને આધીન નથી. (૨) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહિ. (૩) દ્રવ્યને એક ગુણ તે જ દ્રવ્યને બીજા ગુણનું કાંઈ કરી શકે નહિ. એ પ્રકારે હું જ્ઞાન સ્વભાવી આત્મા સર્વે કવ્યથી ભિન્ન અને સ્વતંત્ર છું તે ભેદજ્ઞાનરૂપી અપૂર્વ ધર્મ પ્રગટ થાય છે. ૩૬૯ પ્ર. પ્રદેશત્વ ગુણ કોને કહે છે? નિ:સંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy