SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪so મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવન ન કરવી, જે જે તર્કદિ ઊઠે તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવા, અર્થાત્ ચિત્તને આડાઅવળા વિષયમાં ભટક્તાં રોકી પિતાને શાંત-સમતા-સ્વભાવમાં સ્થિર કરવું અને આત્મશકેિતને બાધક ચિંતાઓને અથવા ઈષ્ટનિષ્ટરૂપ ઇન્દ્રાત્મક વિકલ્પોને પૂર્ણ નિરોધ કર. આમ પૂર્ણતાથી કરવાનું સામર્થ્ય ફકત મુનિરાજમાં જ હોય છે પણ નિમ્ન ભૂમિકામાં પણ આનું ઘણું મહત્ત્વ છે, ખાસ કરીને અહીં તે પ્રક્રિયા ધ્યાનના બદલે સામાયિક તરીકે ઓળખાય છે. સામાયિક અને ધ્યાન વસ્તુતઃ એક જ છે, ફક્ત ફેર એટલો જ છે કે સામાયિકમાં ચિત્તની સ્થિરતા ધ્યાનથી ઓછી હોય છે. ૧૫૨૩ પ્ર. આત્મભાવ કયારે ઉપજે ? ઉ. જે સમયે આ આત્મા પરદન પય અને પરદ્રવ્યોથી વિલક્ષણ છે એ નિશ્ચય કરે છે તે સમયે આત્મભાવ ઊપજે છે. મારા આત્માથી બાહ્ય અન્ય જે કઈ પદાર્થો છે તે મારા નથી કે હું ક્યારેય પણ તેમને નથી. આત્મામાં સદા લીન થા, તેથી મુક્તિની પ્રાપ્તિ થશે. આત્મા સંબંધી જ વિચારે ચાલ્યા કરે અને વળગ્યા જ રહે તે વિચારો ચાલતાં ચાલતાં એ રસ આવે કે બહારમાં આવવું ગોઠે નહિ. આખી સત્તાનું જ્ઞાનમાં ઘોલન ચાલે કે આ હું....આ હું...એમ ઘોલન ચાલતાં ચાલતાં વિકલ્પ પણ છૂટી જાય, પછી તે સહજ થઈ જાય, વિશ્વાસ આવવો જોઈએ. બીજી બીજી ચિંતા હોય તો આ ક્યાંથી ચાલે ? આને અભ્યાસ વારંવાર જોઈએ. તારી અંદરમાં પરમાત્મા બિરાજે છે એથી વિશેષ ધનાઢયપણું શું હોઈ શકે ? આવું પરમાત્માપણું સાંભળતાં એને અંદરથી ઉલાસ ઉછળવો જોઈએ. એની લગની લાગવી જોઈએ. એને માટે ગાંડા થવું જોઈએ. આવા પરમાત્મ દુજન સંગે વિણસતા, ગુણે ભદ્ર જનનાય; લેહસંગથી અગ્નિ જે, ઘણથી જેમ (ટયાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy