SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ કરવા. ૧૩૧૮ પ્ર. સમ્યક્દર્શન થતાં પહેલાં ક્યા પ્રકારના વિચારો હોય છે કે જેને અભાવ કરીને સમ્યક્દર્શન થાય છે ? ઉ. કયા પ્રકારના વિચાર ચાલતા હોય છે તેને કોઈ નિયમ નથી. તત્વને કોઈ પણ પ્રકારને વિચાર હોઈ શકે છે જેને અભાવ કરીને સમ્યફદર્શન ઉત્પન્ન થાય છે. ૧૩૧૯ પ્ર. સમકિત વિનાના ચારિત્રની કઈ કિંમત નથી તેમ કેમ કહે છે ? ઉ. સમકિત વિનાના ચારિત્રથી સકામ નિર્જરા થતી નથી. તેથી, સમકિત વિનાની કરણી એકડા વિનાનાં મીડાં જેવી નિરર્થક કહી છે. ૧૩૨૦ પ્ર. સમ્યગ્દર્શન જ્ઞાન બંને સાથે થવા છતાં જ્ઞાનની જુદી આરાધના કરવાનું કેમ કહ્યું છે ? ઉ. કેમ કે હજી કેવળજ્ઞાન સાધવાનું બાકી છે તેથી. (જુઓ પ્રશ્ન ૧૫૮૯ થી ૧૫૯૧) ૧૩૨૧ પ્ર. દર્શનની આરાધના ક્યારે પૂરી થાય ? ઉ. ક્ષાયિક સમ્યક્ત્વ થાય ત્યારે. ૧૩૨૨ પ્ર. જ્ઞાનની આરાધના ક્યારે પૂરી થાય ? ઉ. કેવળજ્ઞાન થાય ત્યારે. ૧૩૨૩ પ્ર. ચોથા ગુણસ્થાને ક્ષાયિક સમ્યત્વ થયા પછી ઉપરના ગુણસ્થાને તેની શુદ્ધતા વધે ? ઉ. ના; ક્ષાયિકભાવમાં વૃદ્ધિ કે હાનિ હોતી નથી. ૧૨૪ પ્ર. ચોથા ગુણસ્થાનવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિની, પ્રતીત તે સિદ્ધ ભગવાન જેવી હોય, પણ ઉપશમ સમ્યગ્દષ્ટિની પ્રતીત પણ શું સિદ્ધ ભગવાન જેવી છે ? ઉ. હા; ઉપશમ સમકિતની પ્રતીતમાં જે શુદ્ધાત્મા આવ્યું છે તે પણ જેવો સિદ્ધાત્માની પ્રતીતમાં આવ્યું છે તેવો જ છે. શુદ્ધાત્માની. પ્રતીત તે ત્રણે સમકિતીની સરખી જ છે. એમાં કોઈ ફેર નથી. અમૃતાચાર્યે તત્વાર્થસારમાં સમ્યક દષ્ટિને “ઈષતસિદ્ધ” કહ્યા છે. દષ્ટિમાં સિદ્ધ જેવો સંપૂર્ણ આત્મા ખ્યાલમાં આવી ગયો હોવાથી સિદ્ધ. કેધ પ્રીતિને, માન વિનયન, માયા મૈત્રીને અને લાભ તમામને નાશ કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy