SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ અભેદ ભક્તિ અથવા નિશ્ચયભક્તિ છે. અભેદ આત્માની તરફ વધવા માટેના લક્ષપૂર્વક ભેદભક્તિ થાય છે, તે વ્યવહાર કહેવાય છે. ૯૬૫ પ્ર. અભેદભક્તિ કેટલા પ્રકારની હોય છે ? શું બધા પ્રકારની ભક્તિ સ્ત્રીઓને હોઈ શકે છે ? ઉ. અભેદભક્તિ બે પ્રકારની હોય છે : (૧) શુકલધ્યાન (૨) ધર્મધ્યાન જો કે કથનથી તે બને જુદા પ્રકાર લાગે છે પણ તે બનેનું અવલંબન એક આત્મા જ છે, તેથી બનેની જાતિ એક જ છે, ફક્ત નિર્મળતાની અધિક્તા અને હીનતાનું જ અંતર છે. આત્મ સ્વભાવને ભાનથી ધર્મધ્યાન સ્ત્રીઓને પણ થઈ શકે છે, પરંતુ તેઓને શુકલધ્યાન થઈ શક્યું નથી, કારણ કે શુકલધ્યાનની નિર્મળતા સ્વાભાવિકરૂપથી સ્ત્રી પર્યાયમાં સંભવિત નથી. ૯૬૬ પ્ર, જ્ઞાની પુરુષોએ ક્યાં અર્થે ભક્તિનું નિરૂપણ કર્યું છે ? ઉ. જે સહુએ સદ્દગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્દગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છેદ મટે, અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જ ભક્તિનું નિરૂપણ કર્યું છે. ૯૬૭ પ્ર. ભક્તિના નવ પ્રકાર કહ્યા છે તે વર્ણ. ઉ. પંડિત બનારસીદાસજીએ સમયસાર નાટકના મોક્ષકારમાં જ્ઞાની કેવી નવધાભક્તિ કરતા હોય છે તેનું સુંદર વર્ણન કર્યું છે. ૧. શ્રવણ: ઉપાદેયરૂપ પાતાને શુદ્ધસ્વરૂપ (આત્માના) ગુણાનું - પ્રેમપૂર્વક શ્રવણ કરવું તે એક પ્રકારની ભક્તિ છે. જેના તરફ જેને ભક્તિ હેય, તેને તેના ગુણગાન સાંભળવાં જ પ્રમોદ આવે છે. ૨. કીર્તનઃ ચેતન્યના ગુણોને-તેની શક્તિઓનું વ્યાખ્યાન કરવું, મહિમા કરવો એ જ તેની ભક્તિ છે. ૩. ચિતન : જેના પ્રતિ ભક્તિ છે તેના ગુણોને વારંવાર વિચાર કરે તે સ્વરૂપની ભક્તિને એક પ્રકાર છે. " એ સર્વને જાણે છે તે આત્મા છે. ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy