SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ પ્ર. આયુષ્ય એક વાર બંધાયા પછી તેની સ્થિતિ ફરી ક્યારે બદલાઈ. ઉ, એક વખત આયુષ્ય બંધાયા પછી બીજી વાર ફરી બંધ કાળ આવે ત્યારે પહેલાં બાંધેલી આયુની સ્થિતિ ઓછી કે અધિક થઈ શકે છે. જેમ કેઈ મનુષ્યનું ૮૧ વર્ષનું આયુષ્ય હોય તે તેને ભવિષ્યને આયુબંધને કાળ, ૫૪ વર્ષ પછી, ૭૨ વર્ષ પછી, ૭૮ વર્ષ પછી, ૮૦ વર્ષ પછી, ૮૦ વર્ષ અને આઠ માસ પછી, ૮૦ વર્ષ ૧૦ માસ ૨૦ દિન પછી, ૮૦ વર્ષ ૧૧ માસ ૧૬ દિન ૧૬ કલાક પછી અને છેવટે ૮૦ વર્ષ ૧૧ માસ ૨૫ દિન ૧૪ કલાક પછી, આમ આઠ વાર આવે છે. ૭૫૧ પ્ર. એક ભવમાં આગામી કેટલા ભવનું આયુષ્ય બંધાય છે ઉ. એક જ ભવમાં આગામિક કાળના બે ભવનું આયુષ્ય બાંધે નહિ, એક જ ભવનું આયુષ્ય બંધાય. (જુઓ પ્રશ્ન-૧૮૯, ૧૭૪૯ અને ૧૭૫૦). ૭૫ર પ્ર. આયુના કેટલા પ્રકાર છે? ઉ. આયુષ્યના બે પ્રકાર છે. સેપક્રમ અને નિરૂપક્રમ, આમાંથી જે બાંધ્યું હોય તે પ્રકારનું ભોગવાય છે. ૭૫૩ પ્ર. સેપક્રમ આયુષ્ય એટલે શું ? ઉ. સેપક્રમ એટલે શિથિલ, એકદમ ભોગવી લેવાય તે. ૭૫૪ . નિરૂપક્રમ એટલે શું ? - ઉ. નિકાચિત. દેવ, નારક, જુગલિયાં, ૬૩ શલાકા પુરુષને, ચરમશરીરીને તે હોય છે. ૭૫૫ પ્ર. ચરમશરીરી એટલે શું ? ઉ. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી ગણાય. છેવટનું - શરીર કે જેના પછી હવે શરીર ધારણ ન કરવું પડે, તે છેવટનું શરીર તે ચરમશરીર. ૭૫૬ પ્ર. વ્યવહાર અપેક્ષાએ સાત કારણે આયુષ્ય તૂટી જાય તે સાત કારણો કયાં? ઉ. સેપક્રમ આયુષ્ય ૭ કારણથી તૂટી શકે છે. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું તે પરમાર્થ દષ્ટિવાન ( પુરુષને ગૌણતાથી સ્વરૂપનું ચિંતવન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy