SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૧૯ર પ્ર. મહાવિદેહમાં ઉત્કૃષ્ટ અને જઘન્ય પદે કેટલા તીર્થકર હોય ? ઉ. જ્યારે ભારત અને ઈરવત ક્ષેત્રમાં તીર્થકર ન હોય અને પંચ ' મહાવિદેહમાં ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ હોય, અને જઘન્યપદે હોય તે ૨૦ તીર્થકર હોય જેમ અત્યારે છે. અર્થાત ઓછામાં ઓછા ૨૦ તીર્થકરેથી તો ઓછા અને વધારેમાં વધારે ૧૬૦ તીર્થકરથી, વધારે ભવિષ્યમાં કદી પણ થશે નહિ. એમ અનંતા તીર્થકર. ભૂતકાળમાં થઈ ગયા. ૨૦ વર્તમાનકાળમાં છે અને અનંતા તીર્થકર ભવિષ્યકાળમાં થશે. મહાવિદેહક્ષેત્ર તીર્થકર વગર ન હોય. મહા વિદેહક્ષેત્રમાં ચોથા આરા જેવી રચના સદૈવ હોય છે. ૧૯૩ પ્ર. જ્યાં સીમંધર ભગવાન વિરાજે છે, તે ક્ષેત્રનું નામ વિદેહ ક્ષેત્ર કેમ પડયું ? ઉ. અધિક સંખ્યામાં મુનિ ત્યાંથી વિગતદેહ એટલે દેહરહિત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે તેને વિદેહ ક્ષેત્ર કહે છે. ૧૯૪ પ્ર. મહાવિદેહમાં વિદ્યમાન તીર્થકરે કયારે થયા અને તેમનું આયુષ્ય. ઉ. ભરતક્ષેત્રના સત્તરમા તીર્થકર શ્રી કુંથુનાથજીના નિર્વાણ થયા બાદ એક જ સમયમાં થયા અને વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતજીના નિર્વાણ બાદ વીશે તીર્થકરોએ એકી સાથે દીક્ષા અંગીકાર કરી અને વીશેય એક મહિના સુધી છદ્મસ્થ રહીને કેવળજ્ઞાની થયા અને વીશેય ભવિષ્યકાળની વીશીના સાતમા તીર્થકર શ્રી ઉદયનાથજીને મોક્ષ ગયા બાદ એકી સાથે મોક્ષે જશે. અમુક મત પ્રમાણે તેઓ આવતી ચોવીશીના તેરમા તીર્થકરના વખતમાં મોક્ષ પધારશે. એ વિશેય વિહરમાન તીર્થકરનું દેહમાન ૫૦૦ ધનુષ્યનું અને આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. જેમાં ૮૩ લાખ પૂર્વ ગૃહવાસમાં રહ્યા અને લાખ પૂર્વ સંયમ પાળી મોક્ષ પધારશે. ૧૯૫ પ્ર. તીર્થકરનું ઓછામાં ઓછું આયુષ્ય અને દેહમાન કેટલું હોય અને વધારેમાં વધારે કેટલું હોય ? અધમાઅધમ અધિક પતિત, સકળ જગતમાં હુયે, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કશે શું? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy