SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ગુણસ્થાન ૧૬૭૬ પ્ર. ગુણસ્થાન એટલે શું ? ઉ. મેહ અને યોગના સભાવ કે અભાવથી આત્માના ગુણ (સમ્યફ દર્શન-જ્ઞાન-ચારિત્ર)ની હીનાધિકતા અનુસાર થવાવાળી અવસ્થાએને ગુણસ્થાન કહેવાય છે. સંસારમાં મગ્ન થઈ રહેલાં પ્રાણી જે માર્ગ ઉપર ચાલતાં શુદ્ધ થઈ જાય છે તે માર્ગની ચૌદ સીડીઓ છે. એ ચૌદ વર્ગ કે દરજજા છે. ભાવની અપેક્ષાએ એકબીજાથી ઊંચા ઊંચા છે. (૧૬૭૭ પ્ર. ગુણસ્થાન દરજ્જાઓ કેવી રીતે નક્કી કરવામાં આવ્યા છે ? ઉ. મોહનીયકર્મ તથા મન, વચન, કાય, કેગના નિમિત્તથી આ ગુણ સ્થાન બન્યાં છે. આત્મામાં નિશ્ચયનયથી તે નથી. અશુદ્ધ નિશ્ચયનય અથવા વ્યવહાર નથી એ ગુણસ્થાન આત્મામાં કહેવાય છે. મેહનીયકર્મના બે ભેદ છે. એક દર્શનમોહનીય, બીજે ચારિત્રમોહનીય. દર્શનમોહનીયના ત્રણ ભેદ અને ચારિત્રમોહનીયના ૨૫ ભેદ છે. (જુઓ પ્રશ્ન-૬૧૭) ૧૬૭૮ પ્ર. કયા ગુણસ્થાનકે સમ્યફદર્શન થાય છે અને પછી આત્યંતિક મોક્ષ નક્કી જ મનાય છે ? ઉ. જીવ ચોથા ગુણસ્થાને પહોંચે ત્યારે તેને સમકિત થાય છે અને ત્યારબાદ ઊંચી શ્રેણીએ ચઢતાં ચઢતાં યોગ્યતા પ્રમાણે વધારે છે ભાવે જરૂર મોક્ષ પામે છે. ૧૬૭૯ પ્ર. સિદ્ધને ફરીથી કર્મબંધ ન પડે ? અને ફરીથી સંસાર ન હોય ? ઉ. ના. સિદ્ધ પરમાત્મા સર્વ કર્મ રહિત આઠ ગુણ સહિત શોભાયમાન રહે છે. જેમ શેકેલા ચણ ફરી ઊગતા નથી, તેમ સિદ્ધ પણ ફરી સંસારી થતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy