SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૫ ઉપવાસ કરવાના છે. ઉપવાસ કરી તેની વાત બહાર ન કરે, બીજાની નિંદા ન કરે, ક્રોધ ન કરે; જે આ દેષ ઘટે તે મોટો લાભ થાય, તપાદિ આત્માને અર્થે કરવાના છે, લેકીને દેખાડવા અથે કરવાના નથી. કષાય ઘટે તેને “તપ” કહ્યો છે. (જુઓ પ્રશ્ન-૧૦૨૪ થી ૧૦૨૬). ૧૧૧૪ પ્ર. અમુક માસમાં તિથિ ઘટે છે કેમ ? ઉ. અષાઢ, ભાદર, કારતક, પિષ, ફાગણ અને વૈશાખ એ બધાના કૃષ્ણ પક્ષમાં એકેક તિથિ ઘટે છે. ઉપરના છએ માસ ૨૯ દિવસના હોય છે. તે સિવાયના બધા માસ ૩૦ દિવસના હોય છે. એ હિસાબે ચંદ્રવર્ષ ૩૫૪ દિવસનું ગણાય. ૧૧૧૫ પ્ર. ટૂંકમાં “વિચાર” કહીએ છીએ તેનું પૂરું નામ શું છે ? ઉ. “વિયાર” ટૂંકમાં કહેવાય છે, ખરેખર ચૌવિધ-આહારને ત્યાગ તે પ્રત્યાખ્યાન છે. જુઓ પ્રશ્ન-૧૦૧૫ (૧). ૧૧૧૬ પ્ર. પર્યુષણ એટલે શું ? ઉ. પરિવસનમ = પર્યુષણ. સમસ્ત પ્રકારે (આત્મામાં) નિવાસ કરે તે છે પર્યુષણ. આત્માને પિતામાં સ્થિર કરી નિવાસ કરે તે પયુર્ષણ પર્વ એટલે પર વસ્તુનું અથવા પરભાવનું વમન કરવાને અવસર. પર્વને અર્થ છે પુણ્ય અથવા ધમકાળ, મંગળકાળ, પવિત્ર અવસર. કાર્યરૂપ પર્યુષણ; ઉપાદાનરૂપમાં આત્મા. અનાદિનિધન જૈનધર્મમાં પર્વ બે પ્રકારનાં છેઃ (૧) નિત્ય, (૨) નૈમિત્તિક. સ્વભાવિક અનાદિથી ઉજવવામાં આવતાં પર્વ તે નિત્ય”, અને કેાઈ મહાપુરુષના પ્રસંગ વિશેષના નિમિત્તથી મનાવવામાં આવતાં પર્વ તે “નૈમિત્તિક છે. નિત્ય પર્વના બે ભેદ છે : અષ્ટાદ્વિકા અને દશ લક્ષણ ધર્મ. નિમિત્તિક પર અનેક હોય છે, જેવાં કે. તીર્થકરનાં કલ્યાણકે, અક્ષયતૃતિયા, દિવાળી વિગેરે. નિત્ય પર્વમાં જે અષ્ટાલિંકા પર્વ છે તે તો દર્શનપ્રધાન અને ભક્તિપ્રધાન છે અને જે દશ લક્ષણધર્મ પર્વ છે તે ચારિત્રપ્રધાન અને પરિગ્રહનું લક્ષણ મૂચ્છ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy