SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૬ બનવાની ધૂનમાં મસ્ત જગત એ કેવી રીતે સ્વીકારી શકે કે જગત સ્વયં વ્યવસ્થિત છે? એ જ કારણે જે નિયમિતક્રમ અર્થાત વ્યવસ્થિત વ્યવસ્થાને ભંગ કરીને સમય પહેલાં કામ કરી લેવાની ભાવના રાખે છે, તેમને વ્યવસ્થિત વ્યવસ્થા સહેજે સ્વીકાર્ય નથી હતી. આ મનુષ્યભવમાં કરવા યોગ્ય તો એક માત્ર એ જ કાર્ય છે કે આપણે આપણી મતિને વ્યવસ્થિત કરીએ. ૧૭૪૧ પ્ર. જો કેઈ કેઇને પરિણાવતું નથી તે પછી આ પરિણમન થાય છે કેવી રીતે ? એને કેણ કરે છે ? જે કદી આ પરિણમન અટકી જાય તે ? અથવા કદી ધીરે ધીરે થાય, અને કદી ઝડપથી–એને નિયામક કાણું હશે ? ઉ. પ્રત્યેક દ્રવ્ય સ્વયં પરિણમનશીલ છે. ધ્રુવતાની જેમ પરિણમન પણ તેને સ્વભાવ છે. આ પરિણમન કદી અટકી જાય એ પ્રશ્ન જ ઉત્પન્ન થતો નથી, કેમ કે પરિણમન પણ એને નિત્યસ્વભાવ છે. જલદી અને મોડું થવાની પણ કોઈ સમસ્યા નથી, કેમ કે પ્રત્યેક પર્યાય એક સમયની જ હોય છે. હવે રહી વાત એ કે આ બધું કાણું કરે છે? પ્રત્યેક દ્રવ્યમાં અનંત શક્તિઓ પડી છે, નિરંતર ઉલ્લાસિત થઈ રહી છે, તેમના દ્વારા જ આ બધું સહજ થયા ૧૭૪૨ પ્ર. જે આપણે આપણી પર્યાયને પણ નથી બદલી શકતા તે પછી આપણુ પરિણમનને કર્તા પણ આપણે ક્યાં રહ્યા ? ઉ. “આપણે આપણી પર્યાયને પણ નથી બદલી શક્તા જ્યારે એમ કહેવામાં આવે છે ત્યારે તેને આશય એ હોય છે. આપણે તેના નિશ્ચિત ક્રમમાં કેઈ ફેરફાર નથી કરી શકતા, પરંતુ એ નથી થત કે તેના પરિણમનના કર્તા પણ આપણે નથી. પર્યાયને કર્તા તે દ્રવ્ય જ છે. દ્રવ્યની શક્તિઓને કારણે જ તેની પર્યાય સ્વસમયે થાય છે. (જુએ પ્રશ્ન-૧૭૨૦). હિંમત, સાહસ, બુદ્ધિબળ, વિદ્યા, ખટપટ ભેદ, એ તેહના માનજે, લક્ષ વીરનાં વેદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy