SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૭ મહિના-બે મહિનાનો હતો, ત્યારે પણ સમજી-વિચારીને શું કરતો હતો ? છતાં પણ આટલો મેટ થઈ ગયો. પૂરેપૂરી રીતે સંભાળીને રાખવા છતાં પણ એક દિવસ એ જ થશે કે શરીર અહીં જ પડયું રહેશે અને તારે એને છોડીને જવું પડશે; છતાં, પણ આમાં કત્વનું અભિમાન તારાથી છૂટતું નથી. આ શરીર ઉપર તારું રંચમાત્રેય જોર ચાલતું નથી. આ તારા વાળ કાળામાંથી સફેદ તને પૂછીને થયા હશે ? ચહેરા ઉપર જે કરચલીઓ જોવામાં આવે છે, એ પણ તારી સંમતિથી જ પડી હશે ? જે ના, તે પછી એમ શા માટે સ્વીકારતા નથી કે હતા સ્વયં જગત પરિણામ, મેં જગકા કરતા ક્યા કામ” શરીર પણ પર છે, જેના ઉપર તું તારું ક્તત્વ સ્થાપી રહ્યો છે. ૧૭૨૩ પ્ર. છતાં પણ શું જાણવું અને શું ન જાણવું—એને વિવેક તે રાખો જ પડશે ને ? શું આપણે આપણાં જ્ઞાન-દર્શનને એમ જ છૂટાં મૂકી દઈશું- સાંઢની જેમ. ઓછામાં ઓછું તેને તે સ્વભાવ સન્મુખ કરવાં જ પડશે. કાંઈ કરવું નથી, કાંઈ કરવું નથી, એ બધું કેવી રીતે ચાલે ? જ્ઞાનને સ્વભાવ-સન્મુખ કરો તેટલે ર્તીત્વ ભાવ તો રાખો જ પડશે ને ? ઉ. જ્ઞાનને સ્વભાવ-સન્મુખ કરવાના વિકટપથી જ્ઞાન સ્વભાવ-સન્મુખ થતું નથી, પરંતુ આ વિકલ્પના પણ ભારથી રહિત થતાં જ્ઞાન સ્વભાવ-સન્મુખ ઢળે છે. આ એક ધ્રુવ સત્ય છે કે મને અનુસારે જ્ઞાન થતું નથી, પરંતુ જ્ઞાન અનુસાર ય જાણી શકાય છે. નહિ તે એમ શા માટે થાય કે જે ય સામે હોય, તેનું તે જ્ઞાન નથી થતું અને જે ય સામે ન હોય, ક્ષેત્ર કાળથી દૂર હોય, તેનું જ્ઞાન થતું દેખાય છે. નવવિવાહિત અમલદારને સામે બેઠેલા કારકુન દેખાતા નથી, પરંતુ કચેરીથી દૂર ઘરમાં કે પિયરમાં બેઠેલી પત્ની દેખાય છે. આથી એ સિદ્ધ છે કે ય અનુસારે જ્ઞાન થતું નથી. પરંતુ જ્ઞાનને અનુસારે ય જણાય છે. એનું તાત્પર્ય એ છે કે ક્ષયપશમ દેવા સમર્થ દેવ પણ, કૃપા ભક્ત પર કીધ; માયા માહે લગાડશે, એમ ગણી નવદીધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy