SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૮ ૧૭૬ ૭ પ્ર. ક્રમબદ્ધમાં કરવાનું શું આવ્યું ? ઉ. કરવાનું છે જ ક્યાં? (કાંઈપણું ન કરવું–તે કરવાનું છે.) કરવામાં તે કર્તુત્વબુદ્ધિ આવે છે. કરવાની બુદ્ધિ છૂટી જાય એ ક્રમબદ્ધ છે. ક્રમબદ્ધમાં કર્તુત્વબુદ્ધિ છૂટી જાય છે. પરમાં તે કાંઈ કરી શકતો જ નથી. પિતાનામાં પણ જે થવાનું છે તે જ થાય છે અર્થાત્ પિતાનામાં પણ જે રોગ થવાને છે તે થાય છે, તેનું શું કરવું? રાગમાં પણ કફ્તત્વબુદ્ધિ છૂટી ગઈ, ભેદ અને પર્યાયથી પણ દષ્ટિ હઠી ગઈ, ત્યારે ક્રમબદ્ધની પ્રતીતિ થઈ. ક્રમબદ્ધની પ્રતીતિમાં તે જ્ઞાતાદષ્ટ થઈ ગયે, નિર્મળ પર્યાય કરું એવી બુદ્ધિ પણ છૂટી ગઈ, રાગ કરું એ વાત તે દૂર રહી ગઈ. અરે! જ્ઞાન કરું એ બુદ્ધિ પણ છૂટી જાય છે, કર્તૃત્વબુદ્ધિ પણ છૂટી જાય છે અને એકલું જ્ઞાન રહી જાય છે. રાગ કરો અને રાગ છેડો એ પણ આત્મામાં નથી. આત્મા તે એક જ્ઞાનસ્વરૂપ છે. અકર્તાપણું આવી જવું તે જ મોક્ષ માર્ગને પુરુષાર્થ છે. ૧૭૬૮ પ્ર. ક્રમબદ્ધ પર્યાયની વાતથી શું સિદ્ધ થાય છે ? ઉ. ક્રમબદ્ધના સિદ્ધાંતથી મૂળ તે અકર્તાપણું સિદ્ધ થાય છે. જૈનદર્શન અકર્તાવાદી છે. આત્મા પરદ્રવ્યને તે કર્તા છે જ નહિ, રાગને પણ કર્તા નથી અને પર્યાયને પણ કર્તા નથી. પર્યાય પોતાની જ જન્મક્ષણમાં પોતાના જ છ કારકથી સ્વતંત્રપણે જ થવા યોગ્ય હોય તે જ થાય છે. ક્રમબદ્ધ પર્યાયને નિર્ણય કરવા જતાં શુદ્ધ ચૈિતન્ય જ્ઞાયકધાતુ સ્વભાવ સમ્મુખ દષ્ટિ જાય છે અને તેમાં અનન્ત પુરુષાર્થ સમાયેલું છે. ક્રમબદ્ધના નિર્ણયનું તાત્પર્ય વીતરાગતા અને આ વીતરાગતા પર્યાયમાં ત્યારે જ પ્રગટ થાય છે કે જ્યારે વીતરાગ સ્વભાવ ઉપર દષ્ટિ જાય છે. સમયસાર ગાથા ૩૨૦માં કહ્યું છે કે જ્ઞાન બંધમોક્ષને કર્તા નથી, પરંતુ જાણે જ છે. મેક્ષને જાણે છે એમ કહ્યું મૂખ તો તે કે જે પોતાના આત્માને છેતરીને એમ માને કે હું જગતને છેતરું છું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy