SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૧ . (૧) અભિમાન, (૨) કેધ, (૩) પ્રમાદ, (૪) રોગ અને (૫) આળસ, ૧૧૩૦ પ્ર. ક્યા ગુણ અથવા સ્થિતિથી માણસને શિક્ષણશીલ કહેવામાં આવે છે? ઉ. આઠ સ્થિતિઓ અથવા કારણોને લઈને માણસને શિક્ષણશીલ કહેવામાં આવે છેઃ (૧) હાંસી-મજાક ન ઉડાવવી, (૨) હંમેશાં ઈન્દ્રિય અને મનનું દમન કરવું, (૩) કોઈની ગુપ્ત વાત પ્રકાશમાં ન આણવી, (૪) અશીલ (સર્વ પ્રકારે આચારવિહીન) ન બનવું, (૫) વિશીલ (દષોથી કલંકિત) ન બનવું, (૬) અતિશય રસલુપતા ન હોવી, (૭) અધી રહેવું, (૮) સત્યમાં રત રહેવું. ૧૧૩૧ પ્ર. કઈ પણ કર્મ કરતાં વ્યવહારે કે ઉપયોગ રહે જોઇએ ? ઉ. બે પાંચ હજાર રૂપિયાનું નુકસાન થઈ જાય તે તેને ભય રહે છે. તે ભય હું જીવ છું અને કર્મ કરીશ તે મારે જ ભેગવવું પડશે તેવો ભય ઉપયોગ ઉપર રહેવું જોઈએ. અન્યને ઉપર ઠેષ કરીશ તે તેનું કાંઈ બગડવાનું નથી, તેમ કરી તું તારે જ પરભવ બગાડી રહ્યો છે. તું એકલે જ આવ્યું છે, તારે જવાનું પણ એકલા જ છે. સર્વે સ્વજન પ્રાણીઓ અને વસ્તુઓમાં મમત્વભાવને ત્યાગ કરી એકત્વ ભાવનામાં રક્ત બને. ૧૧૩૨ પ્ર. ઈન્દ્રિયો જીતવા પ્રથમ શું ઉપાય કરવો ? ઉ. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઈન્દ્રિયે વશ કરી શકાય છે. મન જીતવુ બહુ દુર્ઘટ છે, એક સમયમાં અસંખ્યાતા યેાજન ચાલનારા અશ્વ તે મન છે. મન જ બંધ અને મોક્ષનું કારણું છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. મન વડે ઈન્દ્રિયની લુપતા છે. ભજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલોપન એ સઘળું મને જ માગે છે. ૧૧૩૩ પ્ર. મને નિપ્રહતામાં વિદનરૂપ ક્યા દે છે. ઉ. અષ્ટાદશ પાપસ્થાનક ત્યાં સુધી ક્ષય થવાના નથી કે જ્યાં સુધી નીચેનાં અષ્ટાદશ વિદનથી મનને સંબંધ છે. નીચેનાં અષ્ટાદશ દોષ જવાથી મનોનિગ્રહતા અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. સ્વભાવમાંથી પરભાવમાં ન જવા દે તે ધર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy