________________
(૧) ગ્રાહક (જ્ઞાયક), એવા જેને લિંગો વડે એટલે કે ઈન્દ્રિયો વડે ગ્રહણ (જાણવું) થતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા અતીન્દ્રિય જ્ઞાનમય છે. એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૨) ગ્રાહ્ય (જણવા યોગ્ય) એવા જેનું, લિંગો વડે એટલે કે ઈન્દ્રિયો વડે ગ્રહણ (જાણવું) થતું નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, ઈન્દ્રિય પ્રત્યક્ષનો વિષય નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૩) જેમ ધુમાડા દ્વારા અગ્નિનું ગ્રહણ થાય છે, તેમ લિંગ દ્વારા એટલે કે ઈન્દ્રિયગમ્ય દ્વારા (ઈન્દ્રિયોથી જાણવા યોગ્ય ચિહ્ન દ્વારા), તેનું ગ્રહણ (જાણવું) થતું નથી, તે અલિંગ ગ્રહણ છે. આ રીતે, આત્મા ઈન્દ્રિય પ્રત્યક્ષપૂર્વક અનુમાનનો વિષય નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. (૪) બીજાઓ વડે, માત્ર લિંગ દ્વારા જ જેનું ગ્રહણ થતું નથી, તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા, અનુમેયપાત્ર (કેવળ અનુમાની જ જણાવાયોગ્ય) નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૫) જેને લિંગથી જ પરનું ગ્રહણ થતું નથી, તે અલિંગગ્રહણ છે ; આ રીતે જીવાત્મા, અનુમાતા માત્ર (કેવળ અનુમાન કરનારો જ) નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૬) લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે, જેને ગ્રહણ થાય છે તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા, પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૭) જેને લિંગ વડે એટલે કે ઉપયોગ નામના લક્ષણ વડે ગ્રહણ એટલે કે શેય પદાર્થોનું આલંબન નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માના, બાહ્ય પદાર્થોના આલંબનવાળું જ્ઞાન નથી એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૮) જે લિંગને એટલે કે ઉપયોગ નામના લક્ષણને, ગ્રહણ કરતો નથી એટલે કે પોતે (ક્યાંય બહારથી) લાવતો નથી, તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા, જે કયાંયથી લવાતું નથી એવા જ્ઞાનવાળો છે, એવા અર્થના પ્રાપ્તિ થાય છે.
૧૧૩
(૯) જેને લિંગનું એટલે કે ઉપયોગ નામના લક્ષણનું ગ્રહણ, એટલે કે પરથી હરણ થઈ શકતું નથી. (બીજાથી લઈ જઈ શકાતું નથી), તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્માનું જ્ઞાન, હરી જઈ શકાતું નથી એ અર્થની પ્રાપ્તિ થાયછે.
(૧૦) જેને લિંગમાં એટલે ઉપયોગ નામના લક્ષણમા, ગ્રહણ એટલે કે સૂર્યવાની માફક ઉપરાગ (મિલનતા, વિકાર) નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, શુદ્ધોપયોગ સ્વભાવી છે એવા અર્થની પ્રાપ્તિ થાયછે.
(૧૧) લિંગ દ્વારા એટલે કે ઉપયોગ નામના લક્ષણ દ્વારા ગ્રહણ એટલે કે પૌદ્ગલિક કર્મનું ગ્રહવું જેને નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા, દ્રવ્યકર્મથી અસંયુક્ત (અસંબદ્ધ) છે. એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૧૨) જેને લિંગો દ્વારા, એટલે કે ઈન્દ્રિયો દ્વારા ગ્રહણ એટલે કે વિષયોનો ઉપભોગ નથી, તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા, વિષયનો ઉપભોકતા નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૧૩) લિંગ દ્વારા એટલે કે મન અથવા ઈન્દ્રિય વગેરે લક્ષણ દ્વારા, ગ્રહણ એટલે જીવત્વને ધારણ કરી રાખવું જેને નથી, તે અલિંગાગ્રહણ છે; આ રીતે આત્મા, શુક્ર અને આર્તવને અનુવિધાયી (અનુસરીને થનારો) નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૧૪) લિંગનું એટલે કે મેહનાકરાનું (પુરુષાદિના ઈન્દ્રિયના આકારનું) ગ્રહણ, જેને નથી તે અલિંગ ગ્રહણ છે; આ રીતે આત્મા, લૌકિક સાધન માત્ર નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.
(૧૫) લિંગ વડે એટલે કે અમેહનાકરા વડે જેનું ગ્રહણ, એટલે કે લોકમાં વ્યાપવાપણું નથી, તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પાખંડિયોને પ્રસિદ્ધ સાધનરૂપ આકારવાળો-લોકવ્યાપ્તિવાળો નથી એવા અર્થની વ્યાપ્તિ થાય છે.
(૧૬) જેને લિંગોનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદોનું, ગ્રહણ નથી તે અલિંગ ગ્રહણ છે, આ રીતે આત્મા, દ્રવ્યે તેમ જ ભાવે સ્રી, પુરુષ અને નપુંસક નથી, એવા અર્થની પ્રાપ્તિ થાય છે.