Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1074
________________ નિરોધ તે ભાવસંવર છે, અને તે (મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગ દ્વારા પ્રવેશતાં પુગલોના શુભ શુભ કર્મ પરિણામનો (શુભાશુભકર્મરૂપ પરિણામનો) નિરોધ તે દ્રવ્યસંવર છે. જે યોગીને વિરત અર્થાત્ સર્વતઃ નિવૃત્ત વર્તતાં થકા, યોગમાં વચન, મન અને કાય સંબંધી ક્રિયામાં -શુભ પરિણામરૂપ’ પુણ્ય અને અશુભ પરિણામરૂપ પાપ જયારે હોતાં નથી ત્યારે તેને શુભાશુભભાવકૃત દ્રવ્યકર્મનો (શુભાશુભભાવ જેનું નિમિત્ત હોય છે એવા દ્રવ્યકર્મનો) સ્વકારણના અભાવને લીધે સંવર થાય છે, તેથી અહીં શુભાશુભ પરિણામનો નિરોધ -ભાવપુયપાપ સંવર-દ્રવ્યપુણ્યપાપસંવરનો પ્રદાન હેતુ અવધારવો. (સમજવો). (દ્રવ્ય સંવરમાં “મુખ્ય નિમિત્ત' જીવના શુભાશુભ પરિણામનો નિરોધ છે, યોગનો નિરોધ નહિ. (અહીં એ ખ્યાલમાં રાખવું યોગ્ય છે કે દ્રવ્યસંવરનું ઉપાદાનકારણ-નિશ્ચયકારણ તો પુદ્ગલ પોતે જ છે.) (૨) આત્મા શુધ્ધ સ્વરૂપે પુર્ણ છે; પુર્ણ શુધના આશ્રયે શુધ્ધિનો અંશ પ્રગટે તે સંવર છે. (૩) ઉપયોગ સ્વરૂપ શુધ્ધાત્મામાં જયારે જીવનો ઉપયોગ રહે છે ત્યારે નવો વિકારી પર્યાય (આસવ) અટકે છે અર્થાત પુણય-પાપના ભાવ અટકે છે, તે અપેક્ષાએ સંવરનો અર્થ જીવના નવા પુણ્ય-પાપના ભાવ રોકવા એવો થાય ૧૦૭૪ જેટલા અંશે અથવા જેટલો કાળ નિગ્રહ કરવામાં આવે છે તેટલા અંશે અથવા તેટલો કાળ પાપા સ્ત્રાવદ્રીર બંધ થાય છે. ઇંદ્રિયો, કષાયો અને સંજ્ઞાઓ (આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ). ભાવ પાપાસવ-દ્રવ્યપાપામ્રવનો હેતુ. (નિમિત્ત) છે. તેમનો અહીં નિરોધ (ઇદ્રિયો, કષાયો અને સંજ્ઞાઓનો નિરોધ) ભાવપાપસંવર-દ્રવ્યપાપસંવરનો હેતુ અવધારવો (-સમજવો) જેમને સમગ્ર પરિદ્રવ્યો પ્રત્યે રાગરૂપ, દ્વેષરૂપ કે મોહરૂપ ભાવ નથી, તે ભિક્ષને-કે જે નિકિારચૈતન્યપણાને લીધે સમસુખદુઃખ છે તેને શુભ અને અશુભ કર્મનો આસ્રવ થતો નથી, પરંતુ સંવર જ થાય છે. તેથી અહીં (એમ સમજવું કે) મોહ-રાગદ્વેષ પરિણામનો નિરોધ તે ભાવસંવર છે અને તે (મોહ રાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ) જેનું નિમિત્ત છે એવો જે યોગદ્વારા પ્રવેશતાં પુદગલોનું શુભાશુભકર્મ-પરિણામનો (શુભાશુભ કર્મરૂપ પરિણામનો) નિરોધ તે દ્રવ્યસંવર છે. જે યોગીને વિરત અર્થાત સર્વતઃનિવૃત્ત વર્તતા થકાં, યોગમાં-વચન, મન અને કાયસંબંધી ક્રિયામાં-શુભપરિણામરૂ૫ પુણય અને અશુભ પરિણામરૂપ પાપ જયારે હોતાં નથી; ત્યારે તેને શુભાશુભભાવકૃત દ્રવ્યકર્મનો (શુભાશુભભાવ જેનું નિમિત્ત હોય છે એવા દ્રવ્યકર્મનો), સ્વકારણ અભાવને લીધે સંવર થાય છે, તેથી શુભાશુભ પરિણામનો નિરોધભાવ પુર્ણય પાપ સંવર-દ્રવ્ય પુણ્ય પાપ સંવરનો પ્રધાન હેતુ અવધારવો-સમજવો. (૯) રોકવું. આસવને રોકવો તે સંવર છે. (૧૦) પુણ્ય-પાપના વિકારી ભાવને (આસવને) આત્માના શુધ્ધ ભાવ દ્વારા રોકવા તે ભાવસંવર છે અને તે અનુસાર નવાં કર્મ બંધાતા અટકે તે દ્રવ્ય સંવર છે. (૧૧) નવીન કર્મ આવતાં અટકે તે. (૧૨) સંવરના બે પ્રકાર છે. દ્રવ્ય સંવર અને ભાવસંવર, કષાયના અભાવથી શુદ્ધિ થાય છે, દ્રવ્ય નિવૃત્તિથી સંવર થતો નથી, પણ ભાવ નિવૃત્તિથી સંવર થાય છે. એ રીતે ભાવથી નિવૃત્તિ થવાની પ્રેરણા આપી છે, તેમજ દ્રવ્યલિંગ મુક્તિનું કારણ નથી. (૧૩) સમાધિ. (૧૪) નિરાવલંબી એકરૂપ સ્વભાવના જોરે અશુદ્ધતા રોકાય તે ભાવ સંવર છે; એ છે. ઉપર જણાવેલ ભાવ પ્રગટતાં નવા કર્મોઇ આત્મા સાથે એકક્ષેત્રાવગાહરૂપે આવતાં અટકે છે, તેથી કર્મ અપેક્ષાએ સંવરનો અર્થ નવા કર્મનો આસવ અટકવો એવો થાય છે. (૪) નવીન કર્મ આવતા અટકે તે, કર્મ અટકાવવાની ક્રિયા (૫) ઉપયોગ સ્વરૂપ શુધ્ધાત્મામાં ઉપયોગનું ટકવું-રહેવું તે સંવર છે. (૬) શુભાશુભ પરિણામનો નિરોધ (૭) જીવના મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ તે સંવર છે. તેમજ તે મોહરાગદ્વેષરૂપ પરિણામનો નિરોધ જેનું નિમિત્ત એવો જે યોગદ્વારા પ્રવેશતાં પુદ્ગલોના કર્મ પરિણામનો નિરોધ તે સંવર છે. (૮) સંવરના નિમિત્તે (તેના અથે) ઈંદ્રિયો, કાર્યો અને સંજ્ઞાઓના

Loading...

Page Navigation
1 ... 1072 1073 1074 1075 1076 1077 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117