Book Title: Jain Darshan Paribhasha Kosh
Author(s): Kundkundacharya, Tarachand Manekchand Ravani
Publisher: Ajit Ravani

View full book text
Previous | Next

Page 1061
________________ ૧૦૬૧ દ્રવ્ય-ભાવ ભેદે ભિન્ન ધાતિકર્મને દૂર કરીને સ્વયમેવ આવિર્ભત થયો હોવાથી, સ્વયંભૂ કહેવાય છે. આથી એ કહ્યું છે કે નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી કે જેથી શુદ્ધાત્મક સ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી (બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય (૬) શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને પોતે જ આધાર હોવાથી અધિકરણ પણાને આત્મસાત કરતો એ રીતે સ્વયંમેવ છે કારકરૂપ થતો હોવાથી , અથવા ઉત્પત્તિ-અપેક્ષાએ દ્રવ્ય-ભાવ ભેદે ભિન્ન ઘાતિકર્મને દૂર કરીને સ્વયમેવ આવિર્ભત થયો હોવાથી, સ્વયંભુ કહેવાય છે. વયંભુ આત્મા :જ્ઞાન અને સુખરૂપે પરિણમેલ આત્મા (૨) શુદ્ધ ઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતિકર્મો નષ્ટ થયા હોવાથી જાણે શુદ્ધ અનંત શક્તિવાળો ચૈતન્ય સ્વભાવ પ્રાપ્ત કર્યો છે એવો આ (પૂર્વોક્ત). આત્મા, (૧) શુદ્ધ અનંત શકિતવાળા જ્ઞાયક સ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે એવો, (૨) શુદ્ધ આનંદશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોત જ પ્રાપ્ય હોવાથી પોતે જ પ્રાપ્ત થતો હોવાથી કર્મપણાને અનુભવતો, શુધ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે સાધકતમ (ઉત્કૃષ્ટ સાધનો હોવાથી કરણપણાનો ધરતો, શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ કર્મ વડે સમાશ્રિત થતો હોવાથી (અર્થાત કર્મ પોતાને જ દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને ધારણ કરતો, શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા વિકળજ્ઞાન સ્વભાવનો નાશ થવા છતાં સહજજ્ઞાન-સ્વભાવ વડે પોતે જ ધ્રુવપણાને અવલંબતો હોવાથી અપાદાનપણાને ધારણ કરતો. સ્વયમેવ પોતે જ (૨) એની મેળે જ. (આચાર્ય ભગવાન શુધ્ધાત્મા લીન થાય છે તેથી એની મેળે જ ભાવનમસ્કાર થઇ જાય છે.) (૩) એની મેળે જ (આચાર્ય ભગવાન શુધ્ધાત્મામાં લીન થાય છે તેથી એની મેળે જ ભાવનમસ્કાર થઇ જાય છે. (૪) એની મેળે જ. (આચાર્ય ભગવાન શદ્ધાત્મામાં જ્ઞાન થાય છે. તેથી એની મેળે જ ભાવનમસ્કાર થઈ જાય છે. (૫) પોતે જ સ્વયમેવ શાનયાની પ્રાણિ કોઈ પર્યાય પોતે પોતામાંથી ઉત્પન્ન થઇ શકે નહિ પણ તે દ્રવ્યના આધારે-દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય; કારણ કે જો એમ ન હોય તો તો દ્રવ્યરૂપ આધાર વિનાં પર્યાયો ઉત્પન્ન થાય, જળ વિના તરંગો થાય. એ તો પ્રત્યક્ષ વિરુદ્ધ છે; તેથી પર્યાયને ઉત્પન્ન થવા માટે દ્રવ્યરૂપ આધાર જોઇએ. આ રીતે જ્ઞાનપર્યાય પણ પોતે પોતામાંથી ઉત્પન્ન થઇ શકે નહિ, આત્મ દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય એ વાત તો બરાબર છે. પરંતુ જ્ઞાનપર્યાય પોતે પોતાથી જણાઇ શકે નહિ. એ વાત યથાર્થ નથી. આત્મ દ્રવ્યમાંથી ઉતપન્ન થતો જ્ઞાન પર્યાય પોતે પોતાનાથી જ જણાય છે. જેમ દીવા રૂપ આધારમાંથી ઉત્પન્ન થતો પ્રકાશ પર્યાય સ્વ પરને પ્રકાશે છે તેમ આત્મારૂપ આધારમાંથી ઉત્પન્ન થતો જ્ઞાનપર્યાય સ્વપરને જાણે છે. વળી જ્ઞાન પોતે પોતાને જાણે છે એ અનુભવસિદ્ધ છે. 4:અત્યંતર કારણ (૨) સ્વજન 4 અને પર સ્વ નામ, જ્ઞાનદર્શન સ્વભાવી ભગવાન આત્મા, અને પર નામ, પ્રકૃતિને આધીન થવાથી ઉપજતા, વિણસતા, વિકારના પરિણામ. આ બંને ભિન્ન છે. છતાં બંનેમાં જયાં સુધી એકપણું જાણતો થકો પરિણમે છે. ત્યાં અને શુદ્ધ અનંત શક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને પોતે જ આધાર હોવાથી અધિકરણ પણાને આત્મસાત કરતો (એ રીતે) સ્વયંમેવ છે કારકરૂપ થતો હોવાથી , અથવા ઉત્પત્તિ-અપેક્ષાએ

Loading...

Page Navigation
1 ... 1059 1060 1061 1062 1063 1064 1065 1066 1067 1068 1069 1070 1071 1072 1073 1074 1075 1076 1077 1078 1079 1080 1081 1082 1083 1084 1085 1086 1087 1088 1089 1090 1091 1092 1093 1094 1095 1096 1097 1098 1099 1100 1101 1102 1103 1104 1105 1106 1107 1108 1109 1110 1111 1112 1113 1114 1115 1116 1117