________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
શ્રી કુમારપાળચરિત્ર. પ્રાપ્ત કરશે અને તે મદેન્મત્ત બની બ્રહ્મ કર્મથી ભ્રષ્ટ થશે. એને ઉપવીત સંસ્કાર થવાને નથી, સાંગવેદાદિકનું તે અધ્યયન પણ કરવાનું નથી, યજ્ઞાદિક ક્રિયાકાંડ પણ તેના હાથે થવાને નથી અને વિવેક બુદ્ધિ પણ તેનામાં રહેવી મુશ્કેલ છે. સ્વાભાવિક પ્રવર્તતા પાપથી તેમજ બહુ આરંભ વિગેરેના પાપથી, આ હારો પુત્ર નરક સ્થાનમાં જશે એ બહુ ખેદની વાત છે. હવે શું કરવું ? વળી આ પુત્ર જ કેવળ નરકમાં જશે. એટલું જ. નહી પણ એના સર્વવંશજોની પણ નરક સિવાય અન્યગતિ નથી. અરે? આ દુષ્ટ દેવને ધિક્કાર છે. વળી આ પુત્ર મહોચ્યો થશે ત્યારે કુલને નાશ કરશે. જેમ વૃદ્ધિ પામવાથી પીપળાનું ઝાડ દેવમંદિરને ઉચ્છિન્ન કરે છે, તેમ આ પુત્ર બહુ દુઃખદાયક થશે. માટે વેલાસર એને કોઈ ઠેકાણે વિદાય કરે જોઈએ, એમ વિચાર કરી તે બ્રાહ્મણે પોતાની સ્ત્રીને કહ્યું, ભદ્રે? આ પુત્રને જલદી તું બહાર કઈ ગુણ ઠેકાણે મુકી આવ. એને રાખવાથી આપણને સુખ પડવાનું નથી. એ પ્રમાણે પોતાના સ્વામીનું વચન સાંભળી સ્ત્રીના હૃદયમાં અગ્નિજવાલા પ્રગટ થઈ અને બહુ શોચ કરતી તે ગંગા પોતાના સ્વામીને કહેવા લાગી, હે સ્વામિન્ ? આ તમે શું બેલ્યા! પુત્રી પણ એકદમ ત્યાગ કરાતી નથી તે ચંદ્રસમાન નેત્રને આનંદ આપતા આવા પુત્રની તો વાત જ શી કરવી ? હે સ્વામિન્ ? ચિંતામણિ અને પુત્ર એ બંને આ દુનીયામાં બહુજ દુર્લભ હોય છે. કેઈ પુણ્યશાળીને તેઓ પ્રાપ્ત થાય છે તો આપણને પ્રાચીન પુણ્યગથી આ પુત્ર થયે છે, હવે એને ત્યાગ કેવી રીતે થઈ શકે ? જેના માટે વિબુધજને પણ અનેક ઉપાય નિરંતર કરે છે, છતાં પણ પુત્રસુખના ભેગી થતા નથી. તે તેના પુત્રને કો બુદ્ધિમાન ત્યજી દે? બ્રાહ્મણે પોતાની સ્ત્રીને કહ્યું, સુભગે? હારું કહેવું સત્ય છે પરંતુ
For Private And Personal Use Only