________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીકુમારપાળચરિત્ર. કર્યો છે. તે મેહ અંત સમયમાં પણ કેવી રીતે હાર પરાજય કરશે ? માટે સહજ ધૈર્ય વડે તું પિતાનું મન દઢ કર, કારણ કે અહારા મરણ પછી નજીકમાં હારૂં મૃત્યુ થવાનું છે. મરણ સમયે ક્ષમાપના અને અનશનાદિક કિયા ત્યારે સારી રીતે કરવી, કારણકે, તે સિવાય પ્રાચીન શુભ કાર્ય ભસ્મમાં હેમેલા હવ્યની માફક વૃથા થાય છે. પરલોક સંબંધી સર્વ ક્રિયા પિતાની મેળેજ ત્યારે કરવી, કારણકે, અપત્ય-પુત્રના અભાવને લીધે હારી પાછળ તે ક્રિયા કઈ પણ કરવાને નથી. એ પ્રમાણે સુભાષિતની માફક ગુરૂની વાણીને સ્વીકાર કરી
શ્રીકુમારપાલરાજા આમેન્નતિ માટે બહુ ભકિત સ્વર્ગવાસ કરવા લાગ્ય, અન્ય રાજકુમારી ઈચ્છા પ્રમાણે
નૃત્ય કરવા લાગ્યા, શ્રાવકે રાસ ગાવા લાગ્યા, ભટ્ટ લેક બિરૂદાવલી બોલવા લાગ્યા, ગાયક લોકો ગાયન કરવા લાગ્યા, પાર્શ્વ ભાગમાં રહેલા નરેંદ્રાદિક ધર્મવ્યયમાં લક્ષથી અધિક નવકાર મહામંત્રનું સ્મરણ કરવા લાગ્યા, અને હજારો પુણ્ય કરવા લાગ્યા. અતિ નજીકમાં મરણ જાણી ધ્યાન કરવાની ઈચ્છાથી સૂરીશ્વરે સર્વત્ર પ્રસરતા કેલાડલને નિષેધ કરાવ્યા. અતિ ઉન્નત નિવૃત્તિ રૂ૫ વલ્ગા-લગામ વડે ઉત્કટ અશ્વ સમાન ઇંદ્રિઓને રોધ કરી, ધ્યાનરૂપી પાશવડે વાનર સમાન ચંચલ ચિત્તને બાંધી બહુ સમય સુધી અપૂર્વ પરમાત્મ સંબંધી તેજનું ચિંતવન કરતા શ્રી હેમચંદ્રસૂરિએ બ્રહ્મરંધ્ર દ્વારા પ્રાણુને ત્યાગ કર્યો. કાલધર્મ પામેલા ગુરૂમહારાજને જોઈ તેજ વખતે શ્રી
કુમારપાલરાજા પોતાના જીવ વડે ગુરૂના કુમારપાળ મૂછ. જીવની પાછળ ગયો હોય તેમ અચેતન થઈ ગયો.
ક્ષણમાત્ર પછી સચેતન થઈ સર્વ જગતને
For Private And Personal Use Only