________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન અદત્તને પ્રસંગ નથી. પાંચ મહાવ્રતો સાથે જ ઉચ્ચારાવાય
એવી રીતે દરેક મહાવ્રતેને અંગે કહી શકાય. પણ શાસ્ત્રકાર જ્યારે વિભાગ કરીને ઇયત્તા બતાવશે ત્યારે પાંચ માન્યા સિવાય છૂટકે નથી. જેના જન્મ, જે જન્મે તે બે એક હય, જેના તૂટે જે તૂટે તે બે એક હેય. તેમ પાંચે મહાવતે સાથે જ ઉચ્ચારાય છે. કેઈ સાધુ એક મહાવ્રતધારી ને કેઈ સાધુ બે મહાવ્રતધારી એ ભેદ નથી રાખે. એક આવે તે પાંચ આવે; એકલું આવતું નથી. પાંચ વગર એક રહેતું નથી. એકના ભંગે પાંચને ભંગ, એકના આવવાથી પાંચનું આવવું. પંથ ના વંશાનું સમાધાન
શંકા જે પાચનું સાથે આવવું, જવું, ટકવું, તે પછી પાંચ શું કરવા? પેટભેદ પાંચ મૂકી દે.
સમાધાન-મહાવ્રતના પાંચે આલંબને છે. મહાવ્રત એક રાખી બીજાં વાડરૂપ છે એમ નથી. માટે પાંચ મહાવતે જ છે. આ કેઈ વાડ નથી. જે સાથે આવે, જાય, ટકે તે એક જ રૂપ હોય એમ બને નહિ. ગુણી અને ગુણ એક નથી. ૫ટ ઉત્પન્ન થયે એટલે ધોળાશ ઉત્પન્ન થઈ સાથે આવવું પણ સાથે આવે જુદા જુદા રૂપે. જેમ કાવડની સ્થિતિ. બે હાંડાં છે. ચઢાવાય છે સાથે, વહેવાય છે સાથે, ફૂટે છે સાથે, તેથી બંને એક કહેવાય નહિ. બે હાંડાં જુદાં છે. તેમ પાંચ મહાવ્રતે પૃથફ ઉચારાવાય છે, પાલન વખતે આથી ફલાણુ મહાવ્રતમાં નુકશાન થશે એમ કહી ટાળવામાં આવે છે. એકના નાશે પાંચને નાશ મનાય છે, પણ તે બધામાં પૃથફ રૂપ તે રહેલું છે. તેથી