________________
૨ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તેથી. અજ્ઞાનને વમને જીવો જ્ઞાનને પામ્યા છે. કેઈ આવો મિથ્યાત્વને વમને સમ્યગ્દર્શન પામેલા છે છતાં પણ સમ્યફચારિત્રની ઉત્પત્તિ ન હોવાથી તે દેશનાને નિષ્ફળ ગણ. તે નિષ્ફળ દેશડામાં દેવતાઓ સમ્યગ્દર્શન, સમજ્ઞાન પામ્યા છે.
આમાનુ ઘર આચાર આચારના બંદેબસ્તની પહેલી જરૂર. આચાર ઉપરતીર્થ, આચાર ઉપર સફળતા. આચાર ઉપર જ શાસન છે તેથી પહેલાં આચારની જરૂર. આચાર એ મુખ્યતાએ આત્માથી થાય છે. હંમેશાં નકલી મોલ બાજે હોય પણ એનું સ્થાન ગણાય કારખાનું. આચાર આત્માનું ઘર છે. પરિણતિવાળું આચરણ આત્માના ઘરનું. પરિણતિ વગરનું ચારિત્ર નકલી. દેશવિરતિવાળા ભનુબેની શ્રમણોપાસક વર્ગમાં ગણતરી થાય
દ્રવ્ય-ચારિત્રમાં આચાર જેટલી તાકાત હવે મૂળ વાત પર આવો. આચાર ઉપર તીર્થનો આધાર, પ્રવર્તવું, ટકવું અને વ્યપદેશ. તેને અંગે આચારાંગમાં આચારની વ્યાખ્યા કરી. કુદરતી રીતે-આત્માના ગુણની અપેક્ષાએ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શનની અધિકતા છે તેને ગૌણું કરવા માગતા નથી, પણ દ્રવ્ય-ચારિત્રની કિંમત તેના કરતાં વધારે છે. એથે રહેલો કે દેશવિરતિવાળો અચુત સુધી, જ્યારે એકલો ચારિત્રવાળો નવ રૈવેયક સુધી. સમ્યગ્દર્શને જે કામ ન કર્યું તે દ્રવ્ય-આચારે કર્યું. બાર દેવલોકથી આગળ લઈ જવાની તાકાત સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનમાં નહીં, પણ એકલા દ્રવ્ય-ચારિત્રમાં તે તાકાત. એ ચારિત્ર જે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાનની જોડે હોત તે એ ચારિત્ર કાંઈ ઓર જ કામ કરત. સમ્યદર્શન, સમ્યજ્ઞાન જે હદ ન આપે તે હદ દ્રવ્ય-ચારિત્ર આપે છે. આચારમાં એટલી બધી તાકાત છે કે જે સમ્યજ્ઞાનમાં, સમ્યગ્દર્શનમાં નથી તે તાકાત દ્રવ્ય-ચારિત્રમાં છે. ગણધર મહારાજા સમ્યગ્દર્શન