________________
૧૬]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન ફરક છે? પારકા આત્મામાં રહેલું જ્ઞાન રૂપ સૂર્ય એક જ હોય કે જગતભરનાં અંધારાનો નાશ કરે, પણ સાવરણી જ્યાં ફરે ત્યાંથી કચરો જાય. ચારિત્ર જે આત્મામાં આવે તે આત્માના કર્મને ક્ષય કરે. આથી અનાદિને સંસાર રહ્યો તે માની શકીશું. આત્મામાં રહેલું ચારિત્ર કામ લાગતું હોત, તો આ જીવનું અનાદિ સુધી સંસારમાં રહેવાનું થાત નહિ ક્ષકશ્રેણીના આત્મામાં બધાં કર્મો પેસી જાય તો તે એક આત્મા એક અંતર્મુહૂર્તમાં ચૌદ રાજલકમાંના કર્મોને ક્ષય કરી શકે. એક આત્મામાં રહેલું ચારિત્ર બીજાનું કામ કરી દેતું હેત તો અનાદિ સંસાર રહે નહિ. શાને શાસન સ્થપાયું. પારકું જ્ઞાન અસંખ્યાતને કામ લાગ્યું. જ્ઞાન પચાસ લાખ કરોડ સાગરોપમ સુધી કામ લાગ્યું, પણ ચારિત્ર બીજ આત્માને તે સમયે પણ કામ લાગતું નથી, તો પછી સમયાંતરે, ક્ષેત્રમંતરે કામ લાગે શાનું? અહીંનું ચારિત્ર અંશ થકી દેવલેકમાં ન હોય. અગિયારમા ગુણસ્થાન સુધીના ચારિત્રને આ શ ત્યાં ચાલતો નથી. સમ્યક્ત્વ દેવના ભવમાં તેવું ને તેવું ચાલે. ચારિત્રને ચકો જુદો છે. એ તો પુરઆને કે. ભૈયાને ચઢે. તેમાં ભાઈ ન ભળે. એ તો જે ચોકામાં રહ્યા તે જ કામ લાગે. ચારિત્ર જે આત્મામાં હોય તે આત્માને જ કામ કરનારું થાય. જ્ઞાન એક આત્મામાં રહેલું અનંત આત્માને કામ લાગે. તેથી આચારાંગની સ્થાપના પ્રથમ કરવી પડી. જ્ઞાનને અંશ ભાડૂતી મળી શકે છે. ચારિત્ર સ્વયં આચરેલું કામ લાગે
એકલા એ થી કામ ન ચાલે આચારાંગનું નિરૂપણ કર્યા પછી વર્તનમાં વિચારને કેરા ન મેલાય. વિચારને કારણે મેલીએ તો શેઠે છ મહિના વિચાર કરીને ગાયના શીગડામાં મેટું ઘાલ્યું હતું તેના જેવું થાય. ચારિત્ર એવું તે નહિ કે જેમાં વિચારના વાંખા હેય. તેવું ચારિત્ર નહિ તે થી વિચારની વ્યવસ્થા કરવાની જરૂર. આચાર, વિચાર વ્યવસ્થિત થયા પછી ઇયત્તા હાથમાં ન આવે ત્યાં સુધી મુદ્દા વિના આચાર,