________________
વ્યાખ્યાન ૬૧
ઉપકાર કરવાની સંપૂર્ણ સામણી છતાં ઉપકાર કરે તે ડૂબાડવું
સૂત્રકાર મહારાજ અધર્માસ્વામી ગણધર મહારાજને ભવ્ય છાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગને પ્રવાહ સતત વહેતો રહે તે માટે પ્રતિબોધ અને પ્રવાજા પામ્યા કે તેની સાથે જ ગણધર નામકર્મના ઉદયથી ચારે જ્ઞાન મળેલાં છે. ઉપકાર કરવાને માટે જે વસ્તુ જોઈએ તે સર્વે તેમને મળેલી છે. જેને ઉપકાર કરવાની સંપૂર્ણ સામગ્રી મળેલી છે તેને એક અપેક્ષાએ એમ કહીએ તો ચાલે કે ઉપકાર ન કરવો તે ડૂબાડવું છે. જેની પાસે ઉપકારના સાધને છે તે ઉપકાર કરવાને કટિબદ્ધ ન થાય, જેની પાસે પૂરતું અનાજ છે, દુકાળ છે, પિતાના અનાજે જેટલાને જીવાડી શકાય તેટલું હેય છતાં ન છવાડે તે હત્યા કરનારે ગણુય આ સ્મૃતિવાક્ય છે. ગણધર પાસે જ્ઞાન, ચારિત્ર અને દર્શન નિર્મળ છે. તે ત્રણ વસ્તુનો ખજાને છતાં પણ પોતે સમજે પણ બીજાને સમજાવી ન શકે તેમ હોય, તો તેમ પણ નથી ! –અગિયાર ગણધરે સર્વ લબ્ધિવાળા છે. આવા લબ્ધિવાળા છતાં, ચાર જ્ઞાનવાળા છતાં ઉપકાર ન કરે તે સ્વપ્નામાંય બને નહિ. પ્રતિબોધ, પ્રવજયા પામતાની સાથે જ ચૌદ પ અને બાર અંગની રચના. દષ્ટિવાદનામના બારમા અંગમાં એવી વસ્તુ ન હતી કે જેની પ્રરૂપણ થઈ ન હોય છતાં અગિયાર અંગ જુદાં ક્ય, કારણ માતાએ છોકરાને માટે અઢાર જાતની રસોઈ કરી હેય છતાં ધાવણું બાળકને તે દૂધ પાવું પડે, માતાને સંકલ્પ ન થાય કે રસોઈ કરી છે, પીએ કે ન પીએ તે જાણે. તેમ બારમા અંગમાં સર્વ અંગનું નિરૂપણ છતાં તેને ધારવાવાળા કેટલા? દસમાં પૂર્વની વસ્તુ ધારવી તેની અંદર દસ શેર ઘી ચટ થઈ જાય એટલી બધી મજબૂત ધારણું હેય. તેવી ધારણાવાળા સર્વ જીવો ક્યાંથી હોય ?