________________
૩૫૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પાલન માટે અત્યાદિ વતે છે. અહિંસા ન હોય તે અનાજ વગરની વાડ, સત્યનું રક્ષણ કરવું છે, પણ કયારે? અહિંસા રહેલી હોય તે. અહિંસાનું મુખ્યપણું ત્રણ પ્રકારે. વચન, વર્તન અને વ્યવસ્થાથી મુખ્યપણું. જગતમાં જે ઉત્પન્ન થાય તેને તો ઉત્પન્ન કરનાર હોવું જોઈએ. ઉત્પન્ન કરનારીને માતા તરીકે ગણવી. ધર્મ એ પણ ઉત્પન થનારી ચીજ છે. ધર્મ અનાદિની ચીજ નથી. આત્માની અપેક્ષાએ અનાદિની ચીજ નથી. અનાદિને અધર્મ છે. ધર્મ એ નવી ઉત્પન્ન થવાવાળી ચીજ. ધમનું ઊંચામાં ઊંચુ ફળ આત્માને કમરહિત કરવો
અનાદિ અધર્મ કેમ? તે ન માનીએ તે ધર્મનું વાસ્તવિક ફળ નહિ. ધર્મ કરીને શું કરશે ? ધર્મનું ઊંચામાં ઊંચું ફળ આત્માને કર્મહિત કરે. ધર્મ અનાદિને હેત તે ઊંચામાં ઊંચું ફળ મળી ગયું હોત. તે ફળ મળી ગયું હોત તો આવી દશા થાત નહિ. ધર્મ કર્યો છતાં ઊંચામાં ઊંચી મળેલી દશા ચાલી જાય છે. ધર્મનું ફળ અવ્યાબાધ તરીકે જાણે તે ખોટા ઠરે. ધર્મનું ફળ યથાસ્થિત રહે નહિ. તે માટે અનાદિ ધર્મ હતો એમ કહી શકીએ નહિ. ધર્મનું ફળ, સિહનું સ્વરૂપ પલટાઈ જાય. વગર કારણે કર્મબંધન થવાનું માનવું પડે.
વગર કારણે કર્મ બંધાય નહિ સિદ્ધ થયા પછી કર્મબંધનું કારણ શું? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ નહિ ત્યાં કર્મ બંધાઈ જાય તે કેવી રીતે માની શકાય? અનાદિના મિથ્યાત્વ વગેરે છતાં અનાનુિં બંધન ખટકે છે. વગર કારણે કર્મ બંધાય નહિ. વગર કારણે કર્મબંધ માની લઈએ તે ધર્મને કારણે મેલી, દઈએ. આનાથી નિર્જર કરીએ પણ વગર કારણે કર્મ બાંધવા એ માનવામાં આવે તે ધર્મનું પ્રયોજન નથી. માટે વગર કારણે કર્મબંધ માન પડે. ધમની દશા અનાદિ માનીએ