________________
ચાવીસમું
સ્થાનાંગસૂત્ર
[ 3
ન!નવાળા ચાાત્રનું નિરૂપણ કરે છે તેથી તેની તો તાકાતનો પાર નથી. આખા ભાર અંગમાં ચારિત્રના સ્થાન ઉપર જોર આપ્યું છે. જેવા ચારિત્રના આચારો બાર અંગોમાં બતાવ્યા તેવા સમ્યગ્દર્શનના અધિકાર બાર અંગમાં લાવા ? સંવારથી સાંજ સુધીની ક્રિયા મળી રહે છે. સમ્યક્ત્વની કરણી, જ્ઞાન કેમ ભણાવવું તેમાનું કાંઈ છે ? સમ્યકૂચારિત્રને માટે જેટલી મહેનત કરવામાં આવી તેટલી સમ્યગ્દર્શન, કે જ્ઞાનની નથી. અગિયાર અંગને ચરણકરણાનુયાગમાં લઇએ છીએ. ચરકરણ ઉપર તત્ત્વ છે. ચરકરણમાં આવેલા આત્માનું સાધી શકે,
મારું અંગ એ તેા સાધુનુ ખાતુ
શ્રાવકની રકમ ચોપડામાં કયાં છે તે કાઢ? શ્રાવકની અહોરાત્ર ચર્ચા, પની ચર્ચા લખી હોય તે તો કાઢ? યજ્ઞદત્તના ચોપડામાં દેવદ્યત્તની રક્રમ કર્યાથી લેવા જાય ? જયાં ચોપડા જ બીજો છે. શ્રાવકે પ્રતિમા ભરાવી, શ્રાવકે પાણી ગાળ્યું એવું અગિયાર અંગમાં કાઢીશ ? લાકડાં પૂજ્યાં એવું નીકળે છે ? શ્રાવકનું ખાતું નથી, તે પારકા ખાતામાં તારી રકમ લેવા શી રીતે માગે છે ? અગિયાર અંગ એ સાધુનું ખાતું એમાં શ્રાવકની રકમ નીકળે કયાંથી? ઉપાસકદશાંગમાં અહારાત્રચર્ચા, પચર્યા કાંઈ નથી. વગર ખાતે રકમ કઢાવવી છે ? સાધુના આચારને અંગે અગિયાર અગોની રચના કરવામાં આવી છે.
બાહ્ય આચાર એ તેા અંદરના આચારની પરિણિતનુ અનુસધાન કરાવનાર
ચારિત્ર લે પછી વધવા માટે અગિયાર અંગ અંગનું નામ ચરણકરણાનુયોગમાં રાખ્યું છે. આચારની મુખ્યતાને અંગે બાહ્ય આચાર પણુ સભ્યજ્ઞાનદર્શનથી વધી જવાવાળી કાટિ છે, તેથી પહેલાં આચારનું વર્ણન. અવિરતિસમ્યગ્દષ્ટિને બીજો વંદન કરે તો વિરાધક. દ્રવ્ય વેષધારી હોય, ખબર ન હોય ત્યાં સુધી વંદન કરે તો આરાધક.