________________
ઓગણત્રીસમું ] સ્થાનાંસૂત્ર
[૫૭ ચૌદ પૂર્વ, બારમા અંગની રચના કર્યા છતાં તે ન સમજે તેને માટે અગિયાર અંગની રચના કરી. બંનેને તારવા છે. માતાએ દાંતવાળા, દાંત ન આવ્યા હોય અગર પડી રહ્યા છે તેવાનું રક્ષણ કરવું પડે. તેમ ચાહે બાળક હોય, ચાહે વિદ્વાન હય, દરેકને મોક્ષને માગે લાવવા છે, તેને માટે અગિયાર અંગ કરવાની જરૂર.
દેવતાની ભાષા અર્ધમાગધી ભાષામાં વિચાર કરીએ તે સૂયગડાંગ નિકિતકાર કહે છે કે સ્વાભાવિક ભાષા પ્રાકૃત ભાષા છે. બચ્ચું બોલતાં શીખે તે વખતે બોલાવવા માંડે. રામ રામ કહે તે રામ બોલી દેશે પણ નમઃ બોલી શકશે નહિ. બત્રીસ દાંત હોય ત્યાં સુધી બેલી શકાય. સંસ્કૃત ભાષા કૃત્રિમ છે. પ્રાકૃત તે સ્વાભાવિક છે. જગતમાં પ્રવર્તેલી સંસ્કૃતિને ગીર્વાણુવાણ કેટલાક કહે છે, એ બિચાગ કેટલું જૂઠું બેલ છે. તેમને તેને ખ્યાલ નથી. સિહાંતથી, વાસ્તવિક રીતિએ કેટલું જૂઠ બોલે છે તેને ખ્યાલ નથી. દેવતાની વાણું જેને અર્ધમાગધી માને છે. ભગવતી છમાં ચોકખ લેખ છે કે દેવતાની ભાષા અર્ધમાગધી. આપણે કહીએ ગીર્વાણવા–સંસ્કૃત તે તે શાસ્ત્રથી વિરુદ્ધ. અઢાર દેશની ભાષાએ મિશ્રિત એટલે અર્ધમાગધી. જેઓ ગીર્વાણે ભાષા સંસ્કૃત બોલતા હતા એમ કહે છે તેઓએ સિદ્ધાંતને કુઠારાઘાત કર્યો છે.
અહારે દેશથી મિશ્રિત ભાષા તે પ્રાકૃત અર્ધમાગધીએ નિબસૂત્ર. દેવતાઓને અર્ધમાગધી બોલવાનું. જે વખતે દેવતાની સંસ્કૃત ભાષા કહીએ તે વખતે મિઠાવથી દેરાયા છીએ. ન જાણે તે ન બોલે પણ બાપ બૈરી કહે તેથી બૈરી બોલી દેવું ! સ્વસિદ્ધાંતનું અજાણપણું. ખ્યાલ નહિ તેથી શાસ્ત્રની વિરુદ્ધ બેલી દઈએ ? ભાવે શાસ્ત્રમાં દેવતાની અર્ધમાગધી ભાષા હેય, પણ બીજા સંસ્કૃત બોલે તેનું શું? શાસ્ત્રનું એકવચન શાસ્ત્રાનુસારીને માટે બસ છે. તુલનાત્મક દષ્ટિએ-અહીંથી કાળ કરીને દેવતામાં જાય