________________
૨૫૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ખરાબપણાને લીધે તમારામાં ખરાબ પણે દેખ્યું તેથી મારે આટલી મહેનત કરવી પડી. પુદગલનું સારૂપ સમજાવ્યું. જિતશત્રુને સમક્તિ પમાડ્યું. પુગલને દ્વેષ એ પારકી લાય
સુબુદ્ધિમાં જે પરિણતિ ઉત્તમ હતી તે રાજામાં કેમ ન આવે? પારકાને ત્યાં લાગેલી લાય પિતાને ત્યાં કેમ આવવા દે? પાંખ ઘરની કાપી નાખવી જોઇએ. સુબુદ્ધિ પ્રધાન, રાજાને માર્ગે લાવવા માટે, પુદ્ગલનું પરિણમન કેમ થાય છે તે સમજાવીને પુદ્ગલનું ચાહે તે પરિણમન થાય તેમાં આપણે ઘેરે હાય લગાડવી નહિ. પણ તે પદાર્થની અંદર આ જીવ દ્વેષ કરે છે. ગટર ( Gutter)નું પાણી જોઈ દ્વેષ કરે છે, એ જ પાણી જઈને શાક થયું તેને આદરથી લે છે. શાથી? સંસ્કારથી બદલાયું તેથી તે જ અર્થ ઉપર દ્વેષ કરીએ છીએ, તે જ અર્થ ઉપર લીન થઈએ છીએ.
નિશ્ચયથી વિચારીએ તે જીવને ઈષ્ટ, અનિષ્ટ નથી. પારકી હાય ઘરમાં ન ઘાલે. પુદ્ગલના પરિણામની વિચિત્રતા ખ્યાલમાં આવી હોય તે, પાનાને પાનાંરૂપે કહે, પણ પિતાને ઘેર ડાય ન લગાડે. સમ્યગ્દષ્ટિને જે જ્ઞાન થશે તેમાં એક ભવ હેતુ થવા દેશે નહિ. જ્યારે મિથ્યાષ્ટિને જે જ્ઞાન થશે, ઊનાને ઊનું કહેશે. સમ્યગ્દષ્ટિ વસ્તુરૂપ જણાવે છે, અરે કાંઈ નથી- રાચવું માચવું નહિ એ જ્ઞાનનું ફળ તેથી કર્મબંધન નહિ. કયું જ્ઞાન સંસાર વધારે?
જયારે સારું દેખ્યું ત્યારે હાશ! ખરાબ દેખે ત્યારે અરે! જે જ્ઞાન થાય તે હાશ! અને અરે !માં પરિણમે એ જ્ઞાન તે સંસારવૃદ્ધિનું કારણ બને છે.