________________
૩૦૨ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન શાસનને સિક્કો “આચાર છે એ જેન ટંકશાળને સિકકો છે. પરિણતિ એ આત્માનું સ્વરૂપ છે. આચાર એ જૈન શાસનને સિક્કો છે. રાજા ભંડાર કે કઠોર તપાસે તેના કરતાં પહેલી મુદ્રા હાથમાં લે. તેવી રીતે જૈન શાસનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર જરૂરી છે પણ આચાર એ જૈન શાસનની મુદ્રા છે.
આચારાંગથી આચારની અને સૂયગડાંગથી વિચારની વ્યવસ્થા કરી. ઠાણુંગજીમાં વાત આવી હતી કે જીવહિંસા બંધ કરો એવું કોને કહે છે? ચેરી કરવી બંધ કરો એવું કહે તે ખરા? જે મનુષ્ય પાપ કરતાં નથી તેઓને પાપ કરવાનું બંધ કરે એમ કહી શકાય નડિ. એના મેઢામાં બોલાવે છે; હું ત્રસ ને બાદરની હિંસાથી વિરમું છું. તમે બધાંને હિંસક ઠરાવે છે. વળા શું કામ લીધે?
અપાય બે પ્રકારે. એક કાયાના સંસર્ગથી ને બીજે બુદ્ધિના સંસર્ગથી. અપાય એટલે ટાપણું. બનવાના પ્રસંગની બુદ્ધિથી સંબંધ કરીને છોડવું. આ પ્રસંગ આવે તો પણ કરવું નહિ તેનું નામ “અપાય. કાયાના સંસર્ગથી તે વિરમે છે. કાયાને સંસર્ગ છે. વળી શું કામ લીધે ? એ તે ચોરથી રક્ષણ કરે. ચાર આબે કયારે? જોડે લીધે કેમકે કદી ચેર આવી પડે તે બચાવ કરે એ બુદ્ધિથી લીધા છે. બુદ્ધિને સંસર્ગ. બુદ્ધિથી ચેરેની કલ્પના કરી તેને ખસેડવાનું વિચાર્યું. હિંસાના પચ્ચકખાણ કાયાની બુદ્ધિથી. જે હિંસા નથી કરતા તેને અંગે બુદ્ધિને સંસર્ગ છે. કદાચ પ્રસંગ આવી પડે તે માટે તે ન જ કરવું. સટ્ટો રમનારે સટ્ટાના પચ્ચકખાણ કરે તે કાયાથી સંસર્ગ. સટ્ટો રમતું નથી તે પચ્ચકખાણ કરે તે બુદ્ધિથી