________________
વ્યાખ્યાન ૧૫ વિચારની વ્યવસ્થા વિના બધું નકામું
ગણધર મહારાજા સુધર્માસ્વામીજીએ ભવ્ય જીના ઉપકાર માટે, શાસનની પ્રવૃત્તિ માટે, ક્ષેત્રમંતરે, કાલાંતરે, ભગવાનના વચનામૃતનું પાન કરવાને શક્તિમાન થાય તે માટે, આચારાંગમાં આચારની વ્યવસ્થા કરી. સાધુઓ આચારમાં વધવાવાળા સ્થિર થયા છતાં જે વિચારની વ્યવસ્થા ન હોય તે નકામું. દુનિયામાં પ્રજાકીય મનુષ્ય અને જાસુસના વર્તનમાં જરા પણ ફરક હોય નહિ બલકે એમ કહીએ તો ચાલે કે જાસુસની એવી વર્તણુક હોય કે જેમાં શંકાને અવકાશ ન રહે. ભવ્ય ને અભવ્યનાં ચારિત્ર
આ જૈન શાસનમાં વિચારની વ્યવસ્થાવાળાના ચારિત્રમાં જેટલી ચઢતી સ્થિતિમાં નિયમિત ન દેખાય, તેટલી વિચાર વગરનામાં ચઢતી સ્થિતિમાં દેખાય. ભવ્ય જીવ જે ચારિત્ર પાળે, તે ચારિત્ર મોક્ષના ઉદેશનું હોય, વગર પણ ઉદ્દેશનું હોય, સામાન્ય પણ ચારિત્ર હેય. પણ અભવ્ય જે ચારિત્ર લે તે ઉદ્દેશને ખીલે ઠેકીને લે. દેવેન્દ્રપણું, રાજામહારાજાપણાને ખીલે ઠોકયા સિવાય તેને ચારિત્રમાં પેસવાનું થતું નથી. ભવ્ય જીવ એઘે પણ પેસી જાય, પણ અભવ્ય ખીલે ઠેકીને જ પેસવાનો. ભવ્ય જીવ વગર ખીલે પેસી જાય. જે અભવ્ય વગર ખીલે પસી જતા હતા તે સમ્યગ્દર્શનની અસર થઈ જાત. અભવ્ય ચારિત્રમાં પેસે છે તે મારે ખીલે ન ખસે તેથી. મહાજન મારા માથા ઉપર ખીલી મારી અને નહિ. જિનેશ્વરના કર્મક્ષયના માર્ગો મારે આચરવા છે. અભવ્યને