________________
અઢારમું ] સ્થાનાંગસૂત્ર
૨૫૩ અગિ કેવલીની દશા વિચારીએ તે ત્યાં પણ પર્યાયને નાશ અને દુઃખની ઉત્પત્તિ એ બે વર્જી શકતાં નથી. છતાં જળમાં સિદ્ધ થયેલા, દરિયામાં, નદીમાં સિદ્ધ થએલા આપણે માનીએ છીએ. જે વખત સિદ્ધ થનારાનાં શરીરે નદી, દરિયા, જલાશયમાં હોય તે વખત છેને અંગે પર્યાયને નાશ છે કે નહિ? દુઃખની ઉત્પત્તિ છે કે નહિ? પર્યાયને નાશ ને દુઃખની ઉત્પત્તિ છે. “વધ વજે એ અશક્ય છે એટલું જ નહિ, પણ અસંભવિત પણ છે. આ જે કહ્યું તે પ્રવૃત્તિને અને આ ત્રણ પ્રકારના જે વધ કહે છે તે વધનું વર્જન આચાર પ્રત્યે છે પણ પ્રતિજ્ઞા પરત્વે નથી. વર્તનની અપેક્ષાએ “પાણી, વનસ્પતિ, વાયરાની વિરાધના ન થાય તેમ વજે' એમ શ્રાવકને કહીએ છીએ.
આચારને અમે આપેલો ઉપદેશ પ્રતિજ્ઞામાં ઉતારી દે તે તું સ્થાનને સમજેલે નથી. આચાર બતાવવામાં વાંધે નથી. પણ પ્રતિજ્ઞા ન કરી શકાય. વધ વર્જવાને અંગે ઉપદેશ આપે તે લાયક અને જરૂરી, પણ પ્રતિજ્ઞાન વિષય ચાલે છે. પ્રતિજ્ઞાને અંગે ન ચાલે. પ્રતિજ્ઞા લઈએ તે એક એક જલસિદ્ધ થયા તે પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ છે એમ કહેવું પડે છે. શ્રાવકને એકેદ્રિયની વિરાધના વર્જવાની હતી, તે વર્જીત થઈ ગઈ, આચારને અગે વર્જવાની હતી. આચારનો વિષય છે. પ્રતિજ્ઞાને વિષય છે. સર્વ પ્રાણાતિપાત વિરમણ એ પ્રતિજ્ઞાને વિષય છે.