SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન અદત્તને પ્રસંગ નથી. પાંચ મહાવ્રતો સાથે જ ઉચ્ચારાવાય એવી રીતે દરેક મહાવ્રતેને અંગે કહી શકાય. પણ શાસ્ત્રકાર જ્યારે વિભાગ કરીને ઇયત્તા બતાવશે ત્યારે પાંચ માન્યા સિવાય છૂટકે નથી. જેના જન્મ, જે જન્મે તે બે એક હય, જેના તૂટે જે તૂટે તે બે એક હેય. તેમ પાંચે મહાવતે સાથે જ ઉચ્ચારાય છે. કેઈ સાધુ એક મહાવ્રતધારી ને કેઈ સાધુ બે મહાવ્રતધારી એ ભેદ નથી રાખે. એક આવે તે પાંચ આવે; એકલું આવતું નથી. પાંચ વગર એક રહેતું નથી. એકના ભંગે પાંચને ભંગ, એકના આવવાથી પાંચનું આવવું. પંથ ના વંશાનું સમાધાન શંકા જે પાચનું સાથે આવવું, જવું, ટકવું, તે પછી પાંચ શું કરવા? પેટભેદ પાંચ મૂકી દે. સમાધાન-મહાવ્રતના પાંચે આલંબને છે. મહાવ્રત એક રાખી બીજાં વાડરૂપ છે એમ નથી. માટે પાંચ મહાવતે જ છે. આ કેઈ વાડ નથી. જે સાથે આવે, જાય, ટકે તે એક જ રૂપ હોય એમ બને નહિ. ગુણી અને ગુણ એક નથી. ૫ટ ઉત્પન્ન થયે એટલે ધોળાશ ઉત્પન્ન થઈ સાથે આવવું પણ સાથે આવે જુદા જુદા રૂપે. જેમ કાવડની સ્થિતિ. બે હાંડાં છે. ચઢાવાય છે સાથે, વહેવાય છે સાથે, ફૂટે છે સાથે, તેથી બંને એક કહેવાય નહિ. બે હાંડાં જુદાં છે. તેમ પાંચ મહાવ્રતે પૃથફ ઉચારાવાય છે, પાલન વખતે આથી ફલાણુ મહાવ્રતમાં નુકશાન થશે એમ કહી ટાળવામાં આવે છે. એકના નાશે પાંચને નાશ મનાય છે, પણ તે બધામાં પૃથફ રૂપ તે રહેલું છે. તેથી
SR No.023496
Book TitleSthahang Sutra Part 01 and 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherKailash Kanchan Bhavsagar Shraman Seva Trust
Publication Year
Total Pages902
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_sthanang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy