________________
આનંદઘનજીનાં પદે.
181 નિયમ પ્રમાણે દરેક પદપર વિવેચન કરવામાં આવે તે ઉપઘાતનું ગૌરવ જે અત્યારે જ ઘણુ થઈ ગયું છે, ધારવા કરતાં પણ વધારે થઈ ગયું છે તે માપ વગરનું થઈ જાય. તેથી આ જગપર દરેક પદપર વિવેચન કરવાની જરૂરીઆત ન હોવાથી સામાન્ય રીતે તે સંબંધમાં ખાસ વક્તવ્ય હોય તે જ વિચારી આ ઉદઘાત પૂર્ણ કરીએ. પદમાં રહેલું અધ્યાત્મ અને ચાગજ્ઞાન અપૂર્વ છે. એની દરેક પંક્તિમાં ચેતન્યશક્તિને પ્રકટ કરવાને અને મેહમલિનતાને નાશ કરવાનો પ્રયત્ન ઝળહળી રહ્યો છે, એમાં આત્મિક દશાનાં ગાન કર્ણને પવિત્ર કરે છે, મનને ડેલાવે છે અને ચેતનને સ્વમાં લીન કરે છે. લગભગ દરેક પદ એટલી ઉસત દશાથી લખાયેલું છે કે એનું રહસ્ય સમજવા જેટલે અધિકાર પ્રાપ્ત થવે પણ ઘણું પ્રાણીઓ માટે મુશ્કેલ છે અને બાકી રહેલા ગરહસ્ય વાંચી વિચારી આશ્ચર્યમાં પડી જાય છે. દરેક પદની કૃતિમાં એક ખાસ ખૂબ એ જોવામાં આવશે કે ઘણુંખરૂં છેલ્લી ગાથાના છેલા પદમા અને કઈવાર છેલલાથી આગલા પદમાં પદનું રહસ્ય અથવા વધારે વાસ્તવિક રીતે બોલીએ તે આખે રહસ્યાર્થ સમજવાની કુચી-ચાવી જડી આવે છે. આ એક ચમત્કૃતિ ઉપજાવે તે વિષય છે અને આનંદઘનજીનું કોઈ પણ પદ વાંચતાં આ હકીકત ધ્યાનમાં રાખવાથી તેને ભાવ અને આશય સમજવામાં બહુ સરળતા થાય તેમ છે. ક્રમ એમ રાખવે કે પ્રથમ એક પદ વાંચી જવું, સાદ્યત વાંચી, છેલ્લી ગાથામાંથી તેની ચાવી શોધી લેવી અને પછી ફરીવાર તેજ પદ આખું વાંચવું. બીજીવાર ચાલી સાથે વાંચતાં બહુ સરળ રીતે સ્પષ્ટ બાધ થશે. વારંવાર મનન કરવાથી નવીન નવીન સ્વરૂપ સમજાશે અને દરેક વખતના વાંચનમાં નવીન હકીક્ત નીકળશે. એ પદેને સેક વખત કે વારંવાર વાંચતાં થાક નહિ લાગે, કંટાળે નહિ આવે. પદનું મહત્ત્વ બતાવવા માટે આ પૂરતી હકીક્ત છે. જે પદામાં રહેલ અર્થગૌરવ એટલું સુંદર હોય કે વારંવાર વાંચવાથી પણ કંટાળો ન આવતાં દરેક વખત નવીનતાનું ભાન કરાવ્યા કરે એ પદે કાંઈ સાધારણ લેખકથી નીપજાવી શકાતાં નથી. પદમાં ચેતન કેન્દ્રસ્થ છે, સુમતિ એને ઉદ્દેશીને અનેક વિરહાલાપ કરે છે, શુદ્ધચેતના એને માટે