________________
ચાવીશમુ.] આનશ્વનનો મનમેળાપ.
૨૨૧ ધરાવે નહિ, પ્રીતિમાં પડદે રાખે, પિતાના સ્વભાવે તેને મળે નહિ, પણ અન્ય સવરૂપે મળે અથવા તેને મળવાના અખાડા કર્યા કરે તેને સારો માણસ જાણુ નહિ, પણ તેને એક પથ્થર સમાન સમજ. વ્યવહારને આ જાતે નિયમ છે કે પિતાના મેળાપી સાથે આંતર રાખે તે સારે માણસ ન ગણાય. પ્રીતિ ન કરવી હોય તે જૂઠી વાત છે, પણ મેળાપ તે કરે છે અને છતાં પણ મળનાર સાથે મન ખુલ્લું મૂકી પ્રેમ જમાવ નહિ એ ઠીક નથી. દાખલા તરીકે સ્વસ્ત્રીની સાથે મેળાપ કરવાની ઈચ્છા રાખવી અને તેની સાથે પ્રેમગોષ્ઠી કરવી નહિ. હૃદયની વાર્તા કહેવી નહિ અને પરસ્ત્રી સાથે આસક્તિ રાખવી એ સાર પ્રતિષિત માણસનું કામ નથી. તેમ જ નિજ સ્વરૂપને મળવાની ઈચ્છા રાખવી અને વળી વિભાવ ઉપર પણ પ્રેમ રાખવે એ ઠીક કહેવાય નહિ. પ્રીતિ કરવી તે પછી જીવિત પર્યત ચાલે તેવી, ખુલ્લા હૃદયની અને પરભાવ રમણતા દૂર કરવાપૂર્વક કરવી કે જેથી પ્રેમ બરાબર જામે અને આદર્શરૂપ પ્રીતિ લગ્ન થાય.
હે આનદઘન પ્રભુ! દુનિયામાં પણ એક જાણીતે નિયમ છે કે મન મળ્યા વગર એક બાળક હોય તે પણ વળગતું નથી. નાના બાળક તરફ તમે સદભાવ બતાવશે તે તે સ્વાભાવિક રીતે તમને વળગતે આવશે, પણ તેના તરફ પ્રેમ બતાવશે નહિ તે તે તમારી દરકાર કરશે નહિ. તમે તેના નજીકના સગા છે કે તમે ધનવાન અથવા વયેવૃદ્ધ હો તે વાત બાળકના મનમાં અસર કરશે નહિ, તમે તેના તરફ સાચે પ્રેમ રાખશો તે જ તે તમને ચોટતે આવશે તેવી જ રીતે આનંદઘન પ્રભુ સાથે મન મળ્યા વગર એટલે સ્વભાવની એક્તા થયા વગર કઈ ચેલો પણ થતું નથી. સંસારત્યાગની વાત કોઈ તમારા વાક્યાતુર્ય કે ત્યાગ વૈરાગ્યપર આધાર રાખશે નહિ પણ થનાર ચેલા તરફ તમારે સદ્ભાવ હશે તે તેને તમારી ત્યાગપરિણતિપર પ્રેમ થશે અને તે ત્યાગવૃત્તિ કરશે.
આ હકીકતમાં એક બહુ સુદ્દાની વાત કરી છે. જેઓને સવભાવ જાગ્રત કરવાની ઈચ્છા હોય તેમણે અંતઃકરણપૂર્વક તે ભાવ ઉપર પ્રીતિ રાખી પરભાવરમણતાને ત્યાગ કરવો જોઈએ. ઉપર ઉપરના ભાવથી કાંઈ વળવાનું નથી. પરભાવ ત્યાગ કરી સ્વભાવરમણુતા કર