________________
પીરતાળીશત્રુ, 1
પાટઉતારણુ નાવયાચના.
૪૯૧
કરવા ખહુ મુશ્કેલ જણાય છે. ઘટ એટલે રસ્તા-ઘાટ. અવઘટ એટલે વિષમ માર્ગ, મુશ્કેલ રસ્તા. અનાદિ કાળથી ચેતનજી એવા માર્ગે ચઢી ગયા છે કે એને સીધે રસ્તા સુજતે નથી. એ માયામમતાના કુટિલ માર્ગોમાં પડી સંસારમાં રખડ્યા કરે છે અને તેથી તેને અનુભવના માર્ગો અટપટા લાગે છે. માહથી એની પ્રવૃત્તિ એવી વિપ રીત થઈ ગઈ છે, એની દૃષ્ટિ એટલી ચપળ થઈ ગઈ છે કે એ વિશુદ્ધ માર્ગને અટપટા માર્ગ સમજે છે અને સરળ માર્ગને અવઘટ સમજે છે. ચેતનજી પાતાની માહાવ્રત સ્થિતિમાં આનઃઘન પ્રભુનાં દર્શનને પણ કેવી રીતે પ્રાપ્ત કરવાં તે સમજી શકતા નથી. હવે ચૈતનજી સમજવા લાગ્યા છે કે પેાતે અત્યાર સુધી સંગ કરવાની ખામતમાં છેતરાયેા હતેા. તે ઉપરાંત હવે તે વિશેષ સમજ્યું છે કે આ સસારસમુના ઘાટ ઉતરવા માટે તેને વહાણની જરૂર છે. એવા વહાણુની ગરજ સારે અથવા તકૂપ જે આત્મિક વહાણુ હાય તો તે અનુભવ છે. તેથી આનન્દઘન પ્રભુનાં દર્શન કરવા માટે અને સસારસમુદ્રને ઘાટ ઉતરી પેલે પાર રહેલ માક્ષસ્થાન પ્રાપ્ત કરવા માટે તે અનુભવનોકાની માગણી કરે છે. તે પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે કે હું મારા નાથ! હું અત્યાર સુધી મહુ ગાયા છું. બહુ છેતરાયા છુ, બહુ ફસાયે છું; મને હવે મારા સગાંસબંધીના સ્નેહમાં વાસ્તવિકતા નથી એમ જણાયું છે અને તે બધાં કારણુથી હવે મારૂં સસાર ઉપરથી મન ઉદ્વિગ્ન થયું છે, પરંતુ આપનાં દર્શન કરવાના માર્ગના મને પરિચય ન હેાવાથી એ માર્ગ મને બહુ વિષમ લાગે છે તેથી આપનું દર્શન થાય અને આ સમુદ્રના પાર પમાય એવું અનુભવ જહાજ મને ગમે તેમ કરી મેળવી આપે. મારી દુઃખી સ્થિતિ સામે નજર કરી, મારા પૂર્વે કાળના ઢાપાની ક્ષમા કરી, મારા ઉપર કૃપા કરા, મારા હાથ ઝાલા અને મને એવું વહાણ આપી કે, તેમાં બેસી મારૂં સાધ્યસ્થાન પ્રાપ્ત કરૂં, આપનાં દર્શન કરૂં અને આપ જેવા થઈ જાઉ.
હવે ટખામાં જે અર્થે લખ્યું છે તે વિચારીએ. એને કેટલાક ભાવ વિચારવા લાયક છે, પરંતુ અર્થ તાણી ખેંચીને આણ્યા હાય એમ કાઈ કાઇ સ્થાનપર લાગે છે. પ્રથમ ગાથાના અર્થ કરતાં
• અહી અર્થે નીચે પ્રમાણે છે, જનેરી=જગતમા લઈને અનુભવ અને મારી સાથે દગા કરે છે. આ શબ્દાર્થ છે.
માયામમતા ચૈતનની મતિ