________________
૪૯૦
આનંદઘનજીનાં પદા.
[પદ પ્રાણનાથના વિરહની વેદના છેડે ન આવે એવી હોવાથી તેને પાર પામી શક્તા નથી. આનંદઘન પ્રભુના દર્શનરૂપ વિષમ માર્ગ છે, (તેરૂ૫) સસારસમૃતને ઘાટ ઉતરવા માટે હુંનાવડીની માગણીયાચના કરું છું
ભાવ-ઉપર કહી તે અનુભવષ્ટિ મારા પ્રાણની રક્ષા કરનારી છે, મને શાશ્વત જીવન આપનારી છે. એના વિરહને માર્ગ પાર ન પામી શકાય તે છે, એ સ્થળ એવું છે કે જેમ ઊંડા જળને તાગ મેળવો મુશ્કેલ પડે તેમ તેને છેડે પ્રાપ્ત કરવું મુશ્કેલ પડે તેમ છે. મતલબ એ વિરહકાળ ક્યારે પૂરા થશે તે કહી શકાય તેમ નથી. બહુ ઊંડાણવાળા સમુદ્રમાં પાણું કેટલું છે અને જમીન કેટલી નીચી આવી છે તે જાણવા માટે બહુ પ્રયાસ કર પડે છે અને તેમા કોઈ વસ્તુ પડી ગઈ હોય તે તે લઈ આવવામાં અથાગ મહેનત પડે છે. એવી રીતે આ વિરહવેદનાને માર્ગ અથાગ છે. એક તે મારે પિતાને માર્ગ અવળે છે અને વિરહકાળ બહુ લાંબા વખતથી ચાલ્યા કરે છે, આથી એ વિરહયાળ અથાગ જણાય છે. મારા પ્રાણ તે હું પિતે જ છે, તેને જાગ્રત દશામાં લાવવાની સ્થિતિને મને વિરહ થયે છે અને તેની આ સર્વ પીડા છે. પીડા કેઈ બહારની નથી પણ અનુભવટણિ જે મારી પિતાની વરતુતઃ છે તેને જ વિરહ થયો છે અને તે અપાર જણાય છે, કારણ કે લાંબા કાળથી તેને ઉંઘાડી દીધેલ છે. ચેતનજી પતે આ પદ લે છે એમ શરૂ કરેલ હોવાથી આ પ્રમાણે અર્થ ઘટે છે. સમતા જે આ પંક્તિ બોલતી હોય અથવા શુદ્ધચેતના બોલતી હોય તે તેને અને ચેતનજીને ઘણા વખતથી વિરહ થયે છે તેની વેદના જેનું અથાગ સ્થળ છે તેને પાર આવતે નથી એ અર્થ ઘટે છે. એ વેદના એટલી લાંબા વખતની અનાદિ કાળની છે કે તેને વિચાર કરતાં મારે પત્તા ખાતે નથી. અથવા ચેતનજી કહે છે કે તે વિરહ વેદનાસ્થળ અથાગ જેને–પાર ન આવે તેવું છે. અથવા તે વિરહસ્થળને પાર લેતાં હું તે થાક્યો છું ઘણુ મહેનત કરી પણ તેને પત્ત જ ખાતે નથી.
આનદઘન પ્રભુનાં દર્શન કરવા–તેની ઝાંખી કરવી તે અનુભવ છે અને તે દર્શન એ જ અવઘટ છે-વિષમ માર્ગ છે. તે માર્ગ પ્રાપ્ત