Book Title: Anandghan Padya Ratnavali Part 01
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 771
________________ ૫૮૦ આનદધનજીનાં પદો. [પદ શાસ્ત્રકાર કહે છે કે એવી કઈ જાતિ નથી અને એવી કોઈનિ નથી. એવું કેઈ સ્થાન નથી અને એવું કંઈ કુળ નથી કે જ્યાં આ જીવ અનત વાર ઉત્પન્ન થયે નહાય ચેતનજી કર્મવશ પડી અનેક પ્રકાનાં શરીર ધારણ કરે છે અને પ્રત્યેક ભવમાં તેનું રૂપ ફતું જાય છે. ટબાટાર અહીં લખે છે કે “આમા ફરી ક્ષણવારમાં ઇંદ્રની જેમ ઈશ્વરતા ધારણ કરશે અને કહેશે કે ષ દ્રવ્યમાં મારા જે કેણુ છે અને વળી પછી છાશની જેમ પાતળું થઈ જશે એટલે નિર્મદી થઈ જશે. આ ભાવ પણ સારે છે કહેવાને આશય એ છે કે ચેતનજી નવાં નવાં રૂપ ધારણ કરશે.* તેનું એક ઠેકાણું નથી, તેની એક સરખી ગતિ નથી, તેની એક સરખી કૃતિ નથી, તેની એક સરખી વૃત્તિ નથી, અને તે મિત્ર! તું તે કહે છે કે તે અવિનાશી છે. તું મને વારંવાર કહે છે કે મારા નાથ અવિનાશી છે. ચેતનજી અવિનાશી હોય તે પછી જૂદા જૂદા ભવમાં નવીન નવીન રૂપ ધારણ કરે છે, અરે એક ને એક ભવમાં પણ સધન નિર્ધનાદિ થઈ જાય છે એમ હું દેખું છું ત્યારે હવે મારે ધારવું શું? આવી વિચિત્ર રીતે વિહાર કરતે નવીન રૂપ ધારણ કરતા દેખાતો અને તમારાવડે અવિનાશી તરીકે સંબોધાતે ચેતન કેવી રીતે માની જશે અને કેવી રીતે મારે મંદિરે પધારશે એ હે મિત્ર! તું મને જરૂર સમજાવ, * અહીં સુધી માત્ર એક પંક્તિને અર્ધ લખીને પછી બાકાર નીચે પ્રમાણે નેટ લખે છે, બાકીની ગાથાને અર્થે મુકેલ હેવાથી તેમણે તે લખ્યો નથી તે મારા ગુરૂ મહારાજે મને જે પ્રમાણે અર્થ બતાવ્યા તે અહીં લખે છે ટબાકાર લખે છે કે આ ગાથાના બાકીના ત્રણ પદ્યને અર્થ જરા જરા ભાસે છે તે ખરે, પણ બરાબર રહ સ્વાર્થ સહિત ભાસતો નથી એટલે એ લખતા નથી એવી ઉક્તિ છે કે શતવદ એક મા લિખ (સે વાત બોલ પણ એક લખ નહિ) મતલબ કોઈ વાત લખવા પહેલા ઘણે વિચાર કર એ કવિરાજને આશય વણે ગભીર તેથી તે તેજ જાણે મારા મનમાં આવે છે તેમ વિવેકી થઈને લખ્યો જાઉં છું, પરંતુ આ પદને આશય પરિપૂર્ણ જાણ્યા વિના કશુદ્ધની ખબર પડતી નથી શુદ્ધ અશુદ્ધ અક્ષરની બરાબર ઘટના થઈ શકતી ન હોવાથી અર્થ શેને કરાએ બને અને અન્ય અસબદ્ધ છે, પણ એ પદમાં પ્રાણાતિપાત માયાનું વર્ણન છે. આ પ્રમાણે ટબાકારે નેટ કરી છે તેને છેવટને ભાગ સમન નથી. પ્રાણાતિપાત અને માયાનું વર્ણન આ પદમા ક્યાં છે તે સમજાતુ નથી કવિને આશય ગભીર હોવા ઉપરાંત આ પદમાં શદ્વાશુદ્ધતા જણાય છે તેથી અર્થ દુર્ધટ તો છે જ ઉપર આર્ષ કર્યો છે તે મારા ગુરુ મહારાજે બતાવ્યો તદનુસાર છે. વિ૦ ક.

Loading...

Page Navigation
1 ... 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832