________________
પર આનંદઘનજીનાં પદે.
[પદ વામાં બહુ સમજી જજે કે મારા ઘરનું બંધારણ સાજું નથી-નિયમસર નથી
ભાવ-એને વશ પડીને મેં જે જે કાર્યો કર્યા છે, જે માન્યતા રાખી છે અને મારી પાસે એણે જે જે કામો કરાવ્યાં છે તે સર્વ વર્ણવી બતાવતાં મને લાજ આવે છે. વિભાવને વશ પડી ધર્મબુદ્ધિઓ મેં સ્થળ કામો કેવા કેવા કર્યો છે તે સાંભળો. ધર્મને નામે મેં હિંસા કરી, અસત્ય વચને ચાર કર્યો, ચોરી કરી, ધનના ઢગલા એકઠા કર્યા, કન્યાદાન દીધાં, પીપળે પાણી ઘાલ્યાં, બકરા પાડાનાં બળિદાન કર્યા, અશ્વને હોમ કર્યો, મહામાયાને તૃપ્ત કરવા મદિરાપાન કર્યું, શક્તિને સંતોષવા મા માંસ રસ અને રૂધિરનું પાન કર્યું, કાળિકાને સંતોષવા બત્રીશે ચડા, અંબિકાને આરાધવા બાકડાનું બળિદાન આપ્યું, પરભવમાં સારું ઇચ્છિત સ્થાન મેળવવા સારૂ કાશીએ કરવત મૂકાવ્યું, ગિરનાર જઈ ભેરવજવ ખાધે, દેહ સમર્પણ કરવાના બહાના નીચે આચાર્યો સાથે કુકમ ક્ય, પ્રભુને નામે લાખો રૂપિયાની પેઢીઓ ચલાવી, કમલાનના વ્યાપાર કર્યા, સેવક સેવિકા થઈ અનુયાયીઓને છેતર્યા, યુટયા, હેરાન કર્યા, ગુરૂની પદવી પ્રાપ્ત કરી તદ્દન વિપરીત ઉપદેશ કર્યો, કપટજાળ બીછાવી અનેકને ફસાવ્યા, અભિમાન કરી આડખર વધાર્યો, ચગ્યતા વગર પધરામણીઓ કરાવી, ધર્મના અધ્યક્ષ થઈ આવકમાં હિરસે મા, પરભવમાં ઈચ્છિત વસ્તુઓ મળવાની ચીઠ્ઠી લખી આપી, ધર્મિષ્ટ હવાને બહાને પિતાને વ્યવહાર ચલાચે, કામવાસના પૂરી કરી, અન્ય ધર્મનું સ્વરૂપ સમજ્યા વગર, તેમાં રહેલા સત્યાશેનું અસ્તિત્વ જાણ્યા વિચાર્યા વગર પરધર્મની, પરતીર્થની અને તેના અનુયાયીઓની નિંદા કરી, મિથ્યા ધર્મને નિમિત્તે કૈધ માન માયા લાભ કષા કરી તેમાં પ્રશરતપણું માર્યું અને ઘણી ખરી વાર તે તેમા ધર્મજ માન્ચે આવી રીતે મેં અનેક પ્રકારનાં મલિન સ્થળ કાર્યો ધર્મને નામે કર્યા, મેં અનેક પ્રકારની અધમતા સ્પષ્ટ રીતે કરી અને ધર્મને નામે કાન માંડી, એક નૂતન પ્રકારને સંસાર શરૂ કરી દીધું. મારી પાસે એવાં સર્વ કામો વિભાવદશાએ કરાવ્યાં. મારાં એ સર્વ કાય એવાં અને એટલો છે કે તેનું વર્ણન તમારી પાસે કરી બતાવતાં હે માડી! હું શરમાઉં છું. એવી જ રીતે