________________
૧૯
શતક ૧૨ મું ઉદ્દેશક-૧ આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે તેઓ તેટલા સમય પૂરતા ઠાવકા, ગંભીર, હસમુખા અને પ્રેમભરેલી વાતો કરનારા સ્પષ્ટ દેખાઈ આવે છે. પણ....પણ... તેમના હૈયામાં રોષનો અગ્નિ ભરેલું હોય છે. માટે જ બહારના ઠાવકા અને અંદરના માયાવી, બહારના ગંભીર પરંતુ હૈયામાં ચુલા ઉપર ખદબદતી ખીચડીની જેમ ક્રોધ ઈર્ષાદિથી બળતા હોય છે. બહારના હસમુખા અને અંદરના કાતિલ ઝેર જેવા આત્માઓ સમય જોઈને “ઘા” કરનારા હોય છે. બહારથી પ્રેમપૂર્ણ વાર્તાલાપ કરે છે પણ અંદર ઈષ્ય–અદેખાઈ કે વૈર–વિરોધને વંટોળ ચડી ગયા હોઈને સમયની પ્રતીક્ષા કરનારા હોય છે. માટે આવી રીતના રહેણી અને કથનીમાં ફેરફારવાળા માનવના ચહેરા ઉપર તત્કાળમાં અપ્રીતિરૂપ લક્ષણ ન પણ દેખાતું હોય તે પણ આત્માના પ્રતિપ્રદેશે કોઈને ઉદયકાળ વર્તતે હેય છે. માટે કહેવાયું છે કે કોધી માણસના જીવન અપ્રીતિઆત્મક પરિણામવાળાં જ હોય છે. અપ્રીતિ એટલે આત્માની પરિણતિ, લેશ્યા, વિચારધારા કે તેના પરિસ્પદ સમજવા.
માટે ભૂત, ચંડાળ કે કાળા નાગની ઉપમાને ધારણ કરે કોધ સૌથી પહેલા ત્યાજ્ય છે, સર્વથા ત્યાજ્ય છે.
પિતાના સત્તાવીશ ભવની અપેક્ષાએ ૧૬મા ભવમાં મહાવીરસ્વામીને આત્મા વિશ્વભૂતિ નામે હતે. સંસારની ખટપટોના કારણે મુનિધર્મ સ્વીકાર્યો, તપશ્ચર્યા તપી, સંયમ પાળે પણ વિશાખાનંદી ઉપરને ક્રોધ કાબુમાં લઈ ન શકવાને કારણે મથુરા નગરીમાં ગાયને શીંગડા સાથે ઉછાળીને દૂર ફેકી દીધી અને વિશાખાનંદીને મારવાનું નિયાણું કર્યું. અને ૧૮મા ભવે વાસુદેવના અવતારમાં અવતરી સાતમી નરકે