________________
૨૮૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ છોડવા માટે જ પ્રયત્ન કરે તે હહડતાં કલિયુગમાં પણ માણસ કલ્યાણ પામશે. ખૂબ યાદ રાખવાનું છે કે પાપોને બાંધવામાં માણસને ગુપ્ત કે અગુપ્ત પુષ્કળ શક્તિ લગાડવી પડે છે તે પછી પાપને જોવા માટે શક્તિ લગાડ્યા વિના શી રીતે ચાલશે ?
જૈન શાસનમાં આવું કઈ કાળે પણ બનવાનું નથી કે ખાતે પતે હર (ભગવાન) મિલે, તે હમ ભી કહેના;
ઔર શિર કે કાટે હર મિલે તે, છુપકે હે જાના.” અંબડ પરિવ્રાજકના સાતસે શિષ્યની વક્તવ્યતા :
અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય ગંગા નદીને તટપર આવીને કાંપીલ્યનગર તરફ પ્રસ્થાન કરતાં વચ્ચે મેટી અટવી આવી, પણ સાથે રાખેલું પાણી ખૂટી જવાથી અને બીજું પાણી ન મળવાથી તેમની પિપાસા (તરસ) વધવા લાગી. અંતે અરિહંત પરમાત્માનું શરણ સ્વીકારીને અનશન કર્યું અને મરીને બ્રહ્મદેવલેકમાં દેવ તરીકે અવતરિત થયાં. અંબડ પરિવ્રાજકની વક્તવ્યતા :
હે પ્રભે! કાંપીલ્યનગરમાં અંબડ પરિવ્રાજક સો ઘરમાં ભેજન લે છે અને ત્યાં રહે છે એમ નગરવાસીઓ કહે છે.
જવાબમાં ભગવતે કહ્યું કે, તે પરિવ્રાજક પિતાની વૈક્રિય લબ્ધિથી સૌને આશ્ચર્ય પમાડવા માટે તે ઘરમાં ભેજન કરે છે. તેમ છતાં પણ અંતે જીવાદિ તના જ્ઞાતા બનીને