________________
૩૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
અગ્નિકાય માટેની વકતવ્યતા :
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવતે કહ્યું કે હે ગૌતમ ! અંગારીકા એટલે સગડી આદિમાં જે અગ્નિ હેાય છે તે જઘન્યથી અન્ત હૂત અને ઉત્કૃષ્ટથી ત્રણ અહારાત્ર સુધી રહે છે. ત્યાર પછી તે અચેતન થાય છે. એટલું વધારે જાણવુ કે કોઈ પણ સ્થળે વાયુકાય વિના અગ્નિકાય એકાકી રહી શકતા નથી, કેમકે વાયુકાય ભક્ષ્ય છે અને અગ્નિ ભક્ષક છે. આ સૂત્રથી સિદ્ધ થાય છે કે ગમે તે વાયુ કે અગ્નિ હોય તે સચિત ( સચેતન ) હોય છે. માટે જ કહેવાયું છે કે વાયુકાય વિના અગ્નિકાય પ્રજ્વલિત રહેતા નથી.
ભઠ્ઠીમાં તપ્તલેાહને ફેરવનારને શુ ક્રિયાએ લાગે છે? હું પ્રભા ! અંગારાથી ભરેલી ભઠ્ઠીમાં ઘાટ ઘડવા માટે નાખેલા લેખડ જે તપીને લાલ સુરખ થઇ ગયેલા છે એટલે કે લેખડમાં આકાશાસ્તિકાયના પ્રદેશેા હોવાથી અને આકાશ સૌને અવગાહના (અવકાશ) દેવાવાળા હાવાથી અગ્નિ જ્યારે લેખડના અણુઅણુમાં પ્રવેશ કરે છે, ત્યાર પછી કાઈ પુરુષ ચીમટાથી-સાણસાથી તે લોખડને ભઠ્ઠીમાં ઊંચે નીચે ફેરવે છે. તે સમયે ફેરવનારને કાયિકી–અધિકરણીકી-પ્રાદ્ધેષિકી-પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી પાંચે ક્રિયાએ લાગુ પડે છે?
સમવસરણમાં બેઠેલાઓને તથા આગમશાસ્ત્ર વડે જીવમાત્રને હિંસાદિ પાપાને સૂક્ષ્મતાથી સમજાવતાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! તે સમયે લુહાર પાસે નીચે લખેલા ઉપકરણા હાય છે. અગ્નિની ભઠ્ઠી, સાણસા, આગલા ભાગ વળેલા હાય તેવા સળીયા, ધમણ, પાણીની કુંડી અને લેહશાળા (મકાન)