________________
શતક ૨૦ મું ઉદ્દેશક-૩
૬૧૯ શસ્ત્ર વડે જેનું નુકશાન થયું છે, માન્યું કે અત્યારે જડ હોવાથી તે પુદ્ગલે જીવહિંસાના માલિક બનતા નથી, તે પણ તે પત્થર, ભૂતકાળમાં ગમે તે જીવને શેષ રહેલો પગલ હેવાથી અત્યારે તે જીવ ચાહે ગમે તે અવતારમાં હશે તે પણ તેને પાપ લાગ્યા વિના રહેવાનું નથી. આ પ્રમાણે બીજા પુદ્ગલે ચાહે તે બંદુક, તલવાર, રીવર, બેમ, ધારી, કુહાડે, લાકડ, ડંડ, ચપુ, દાતરડે, દેરી, દોરડું કે ચરવળ, તથા દંડાસન પણ હોય તે એ પગલે જેના શેષ રહ્યાં હશે તેના માલિકને ચાહે તે વ્રતધારી હોય, મુનિ હોય, પ્રતિમાધારી હેય, મંદિરના ગભારામાં પરમાત્મા સામે ઉભે હોય તે પણ તે ભાગ્યશાળીને પાપની અસર થયા વિના રહેવાની નથી, અર્થાત તેને પણ પાપ લાગશે જ. ગતભવમાં કે બીજા કેઈ ભવમાં શ્રીમંતાઈને સિરાવ્યા વિના મૃત્યુ પામેલો જીવઅત્યારે ગમે ત્યાં હશે તે એ તે ભવની શેષ રહેલી શ્રીમંતાઈ દ્વારા સેવાતા પાપને ભાર તેને પણ લાગે છે. અનંત ભવેની પિતાની સ્ત્રીઓ જેને ત્યાગ જ્ઞાનવૈરાગ્યપૂર્વક કર્યો નથી માટે તે સ્ત્રીઓને આત્મા ગમે ત્યાં રહીને પાપ કરશે તેને ભાગ સ્ત્રીને ત્યાગ ન કરનારને પણ લાગે છે.
અનંત સંસારની અનંત માયામાં એ જ વૈચિત્ર્ય છે કે જીવાત્માના માથા પર અનંતભવના કરેલા પાપ અને શેષ રહેલા તે તે પુદ્ગલે અ યારે જેવા જેવા પાપ કરતા હશે તે બધાય પાપથી જીવ લેપાયા વિના રહેતું નથી. આવી સ્થિતિમાં આત્મકલ્યાણ કેટલું મોંઘુ છે? અને કેટલું સેંઘુ છે? તેથી જ પૂજાની ઢાલમાં વીરવિજયજી મહારાજે લલકાર્યું છે? “તુમ આગમ આરિસ જેવતા રે લેલ. દૂર દિઠું છે શિવપુર શહેર રે.” મને સંસાર.