Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 692
________________ ૬૩૭ શતક ૨૦ મું: ઉદ્દેશક-૧૦ નારકે નરકમાંથી કેવળ નિરુપક્રમ વડે જ ઉદ્વતે છે. પણ પિતાની મેળે કે પારકા વડે તેમના આયુષ્યને ક્ષય થતું નથી. દેવે માટે પણ જાણવું. જ્યારે પૃથ્વીકાયિકેથી લઈ મનુષ્ય સુધીના છ ત્રણે પ્રકારે ઉદ્વતે છે. નારકો કતિ સંચિત, અતિ સંચિત અને અવ્યક્ત સંચિત હોય છે. બીજી ગતિમાંથી આવી એક સમયે સંખ્યાતા ઉત્પન્ન થાય તે કતિ સંચિત કહેવાય છે. અસંખ્યાતા ઉત્પન્ન થાય તે અકતિ સંચિત અને એક જ ઉત્પન્ન થાય તે અવ્યક્ત સંચિત જેમાં બે સંખ્યાથી શીર્ષ પહેલિકા સુધી ગણત્રી થાય તે સંખ્યાતા કહેવાય છે, અને ત્યાર પછી અસંખ્યાતા. નારકો ત્રણ પ્રકારના છે કેમકે એક સમયે એકથી લઈ અસંખ્યાતા સુધીના જીવે નરકમાં જનારા હોય છે. પૃથ્વીકાયિકાદિ પાંચ દંડક અકતિસંચિત છે. કારણ કે એક સમયમાં અસંખ્યાતા ઉત્પન્ન થાય છે અને વનસ્પતિકાયિક અનંત છે. સિદ્ધાત્માઓ અકતિ સંચિત નથી કેમકે એક સમયે એકથી લઈ સંખ્યાત સુધી જી સિદ્ધ બને છે. ઋષભદેવના નિર્વાણ સમયે ૧૦૮ સંખ્યામાં સિદ્ધ થયાં છે, જય હો સિદ્ધ ભગવંતને ! અને કેવળજ્ઞાન પ્રાપ્ત કરનારા પુણ્યાત્માઓને ! પણ શતક ૨૦ ને દશમો ઉદેશ પૂણું.

Loading...

Page Navigation
1 ... 690 691 692 693 694 695 696 697 698