Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 677
________________ ૬૨૨ -- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ વધારે હકીકત બારમા શતકના પાંચમા ઉદ્દેશામાં જેઈ જવાની ભલામણ કરી છે. યાવત્ જ્યાં સુધી કર્મોની વર્ગણા અને પરંપરા છે ત્યાં સુધી શરીર છે. ભગવંતની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે, હે પ્રત્યે ! આપની વાણી સત્ય છે. અને શ્રદ્ધામાં ઉતારીએ છીએ. હા શતક ૨૦ને ઉશે ત્રીજો પૂર્ણ. Moછ શતક ૨૦ મું : ઉદ્દેશક-૪ ઇન્દ્રિયની વૃદ્ધિ કેટલા પ્રકારની છે? ' જવાબમાં ભગવંતે પાંચ પ્રકારે કહી છે. તે આ પ્રમાણેશ્રોત્રેન્દ્રિયાપચય, નેગેન્દ્રિપચય, રસને ક્રિયાપચય, ઘ્રાણેન્દ્રિ પચય અને સ્પર્શેન્દ્રિપચય, શેષ વાત પ્રજ્ઞાપન સૂત્રના ૧૫માં પદના બીજા ઉદ્દેશાથી જાણવા માટે ભલામણ કરાઈ છે. જેનાથી ઈન્દ્રિયને પુદ્ગલેનું ગ્રહણ થાય તે ઇન્દ્રિયાપચય છે. ઉપચય એટલે વૃદ્ધિ. પૂર્વભવમાં ઉપાર્જન કરેલા ઇન્દ્રિય પર્યાપ્તિ નામકર્મને આધીન થઈને તથા પ્રતિ સમયે ગ્રહણ કરાતા ઇન્દ્રિય પુદ્ગલેથી તેને ઉપચય થાય છે. શતક ૨૦ નો ઉદ્દેશ ચોથા પૂર્ણજ www

Loading...

Page Navigation
1 ... 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698