Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 688
________________ શતક ૨૦ મું ઉદ્દેશક-૮ ૬૩૩ જેનું અધ્યયન દિવસ અને રાત્રિના પહેલા અને છેલ્લા પહેરમાં થાય તે આચારાંગાદિ કાલિકશ્રુત કહેવાય છે અને બધા કાળે જેનું અધ્યયન થાય તે દશવૈકાલિકાદિ ઉત્કાલિક શ્રુત છે. જ્યારે દષ્ટિવાદને વિચ્છેદ બધાય અંતરમાં જાણ. મહાવીરસ્વામીનું પૂર્વાગત શ્રત એક હજાર વર્ષ સુધી રહેશે. જ્યારે બીજા તીર્થકરોમાંથી કેટલાકને સંખ્યાતા અને કેટલાકને અસંખ્યાત કાળ જાણે. મહાવીરસ્વામીનું શાસન એકવીસ હજાર વર્ષ સુધી રહેશે જ્યારે આવતી ઉત્સર્પિણીના છેલા તીર્થંકરનું શાસન હજાર વર્ષ જુન એક લાખ પૂર્વને જાણ. જેમકે ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા રાષભદેવે ૮૩ લાખ પૂર્વ ગૃહસ્થાશ્રમમાં રહી છેલ્લા પૂર્વમાં દીક્ષા લીધી અને હજાર વર્ષ છદ્મસ્થ રહ્યાં ત્યાર પછી કેવળજ્ઞાન થયું. અરિહંતે નિયમા તીર્થંકર હોય છે, પણ તીર્થ હોતા નથી. જ્યારે સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા તીર્થ છે. મહાવ્રતધારીની જેમ અણુવ્રતધારી પણ તીર્થ સ્વરૂપ છે. - અરિહંતે નિયમા પ્રવચની હોય છે, જ્યારે આચારાંગાદિ પ્રવચન છે. ઉગ્ર, ભગ, રાજન્ય, ઈક્ષવાકુ, જ્ઞાન, કૌરવ્ય કુળના ક્ષત્રિયે યદિ જૈન શાસનને માન્ય કરે તે સિદ્ધ બુદ્ધ યાવત્ નિર્વાણ પામે છે. જ્યારે કેટલાક દેવલેકમાં જાય છે. જ શતક ૨૦ ને ઉદેશે આઠમો પૂર્ણ.

Loading...

Page Navigation
1 ... 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698