Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 684
________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૭ બંધ માટેની વિશેષ વક્તવ્યતા હે પ્રભે! બંધ કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે નીચે પ્રમાણે ત્રણ બધે કહ્યા છે. (૧) જીવ પ્રગ બંધ -મન, વચન અને કાયાના સૂક્ષમ કે બાદર વ્યાપારે વડે કર્મ પુદ્ગલેને આત્માની સાથે જે સંબંધ થાય છે તે જીવ પ્રાગ બંધ છે. (૨) અનંતર બંધ-કર્મ પુદ્ગલેને બંધ થયા પછીના સમયે જે બંધ થાય તે અનંતર બંધ છે. (૩) પરંપર બંધ-અને દ્વિતીયાદિ સમયે થતા બંધને પરંપર બંધ કહેવાય છે. આ ત્રણે બંધ ૨૪ દંડક માટે જાણવા. ધ:-આ સૂત્રથી કર્મોને બંધ જીવાત્માના મન-વચન અને કાયાના વ્યાપારને આધીન છે, પરંતુ ઈશ્વરને આધીન નથી માટે સ્વતંત્ર છે. ઈશ્વર સૌથી પહેલા માણસની બુદ્ધિ બગાડે છે, ત્યાર પછી તે માણસ દુષ્કૃત્યને કરે છે” આ સિદ્ધાંત સત્ય નથી કેમકે ભવભવાંતરના પોતાના જ કરેલા જ્ઞાનાવણયાદિના કારણે માણસ દુર્બુદ્ધિને માલિક બનીને પુન:પુનઃ જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે. કેમકે તેના અવા-તર ભેદમાં મતિજ્ઞાનાવરણીય કર્મ પણ સમાહિત હેવાથી તેની તીવ્રતાના કારણે માણસની

Loading...

Page Navigation
1 ... 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698