Book Title: Bhagwati Sutra Sara Sangraha Part 03
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 675
________________ ६२० શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ આંખ બંધ કરીને મંદિરમાં બેઠા હોઈએ કે કાત્સર્ગમાં બેઠા કે ઉભા હોઈએ, ત્યારે જે જે ઔદાયિક, વૈકારિક, વૈભાવિક કે તામસિક ભાવે આપણને સતાવીને ધ્યાન તેડાવતા હોય, ત્યારે તેના પ્રત્યે સૂક્ષ્મ જ્ઞાન માત્રા આપણે મૂકીએ તે જણાઈ આવશે કે આ ચાલુ ભવની માયા કરતાં પણ ભૂતકાળના ભવની ભેગવાયેલી માયા કેટલી જબરદસ્ત તાકાતવાળી હેાય છે? કયા ભવની કઈ વાત, પુદ્ગલ, સ્ત્રી, બાળક, દ્વેષી, રાગી વગેરે આપણી સામે કેવા રૂપે, કયાંથી આવીને ચડે છે, જેનાં કારણે વીતરાગના મંદિરમાં, પૌષધવ્રતમાં, કે કાલે ત્યમાં પણ આપણે રાગી અને દ્વેષી બનીને લીધેલા વ્રતને, પ્રતિજ્ઞાને તેડી નાખવા તૈયાર થઈએ છીએ અથવા તેડી પણ દઈએ છીએ. આ ભવમાં માંડેલી ગૃહસ્થાશ્રમીમાં વ્રતધારી બનીને અને ખાસ કરીને “સ્વસ્ત્રી સંતેષની મર્યાદાને કરી લીધા પછી પણ જ્યારે અમુક સમય, અમુક પરિસ્થિતિ અને અમુક સ્થાનમાં બીજી કોઈ મદમાતી સ્ત્રીને જોઈએ છીએ ત્યારે તે સ્ત્રીનું શરીર પુગલ આ ભવમાં આપણું વિલાસમાં નથી આવવાનું છતાં પણ આપણું રમે રેમમાં ચંચલતા કયાંથી આવી? તે યદિ પૂર્વભવની રાગ સંબંધવાળી હશે? તે તેને પક્ષપાત કરવાની અને દ્વેષ સંબંધવાળી હશે? તે તેને તિરસ્કારવાની વૃતિ અને પ્રવૃતિ કયાંથી અને કેવી રીતે થઈ? મન-વચન અને કાયાના પાપને ત્યાગ કર્યા પછી અને ચૌરાસી આશાતનાને ખ્યાલ બરાબર છે તે દેરાસરમાં આવ્યા પછી અમુક પ્રસંગના કારણે આપણે રાગદ્વેષમાં તણુઈ જઈએ છીએ, તે સમયે શેડો વિચાર કરીએ તે જણાઈ આવશે કે

Loading...

Page Navigation
1 ... 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698