________________
૬ ૦૯
.
શતક ૨૦ મું ઉદ્દેશક-૨
(૩) ભૂત–પિતાના મૌલિક સ્વભાવને કેઈ કાળે છોડતા ન હોવાથી ત્રણે કાળમાં જેની વિદ્યમાનતા હોય છે માટે ભૂત કહેવાય છે. સારાંશ કે હાટ, હવેલી, વસ્ત્ર, ઘડિયાળ, માટલું આદિ પદાર્થોની જેમ જીવ કેઈનાથી પણ ઉત્પન્ન ન થતું હોવાથી અનાદિ છે અને કેઈનાથી પણ નષ્ટ થવાને નથી માટે અનંત છે.
(૪) સત્વ-જીવના અસ્તિત્વને કેઈ કાળે કેઈનાથી પણ વધે આવ્યો નથી, આવતું નથી અને આવશે નહીં માટે સર્વ કહેવાય છે.
(૫) વિજ્ઞ-ચેતના શક્તિ વિનાને જીવ હેતું નથી.
(૬) ચેતઃ-જ્ઞાનાવરણીયાદિ કર્મોને ચય કરનાર હોવાથી ચેતઃ કહેવાય છે.
(૭) આત્મા–જ્ઞાનથી ગેય પદાર્થોને વ્યાપ્ત કરનાર છે. (૮) જેતા-પુદ્ગલેને જિતનાર હોવાથી જેતા છે.
(૯) રંગણ – રાગના સંબંધથી સંબંધિત હોવાથી રંગણ છે.
(૧૦) હિંડુક–ચારે ગતિઓમાં હિંડન એટલે ફરનારે હેવાથી હિંડુક કહેવાય છે.
(૧૧) પુદ્ગલ-પુદ્ગલેને સહવાસી હોય છે માટે જીવને પણ પુદ્ગલ કહેવાય છે.
(૧૨) માનવ-અનાદિ હોવાથી નવીનતા વિનાને છે. (૧૩) ક્ત-આઠે કમેને કારક હોય છે.