________________
શતક ૨૦ મુંઃ ઉદ્દેશક-૧
૫૬૫
પંચેન્દ્રિય જી શું પ્રાણાતિપાતમાં વર્તતા હોય છે ?
ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભે ! પંચેન્દ્રિય જી શું પ્રાણાતિપાતાદિ અઢારે પાપસ્થાનકેમાં વિદ્યમાન હોય છે? સૂત્રમાં પહેલું અને છેલ્લું પાપસ્થાનક ગ્રહણ કરાયું છે તે પણ ઉપચારથી વચ્ચે રહેલા સોળે (૧૬) પાપસ્થાનકે પણ ગ્રહણ થઈ જાય છે.
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ ! કેટલાક પંચેન્દ્રિ પ્રાણાતિપાતાદિમાં હોય છે અને કેટલાક નથી હોતા. કારણમાં કહેવાયું છે કે સંયત અને અસંયતરૂપે પંચેન્દ્રિય જી બે પ્રકારના છે, તેમાંથી જે સંયત છે તેઓ પ્રાણાતિપાતાદિમાં નથી હતાં, અને જે અસંયત છે તેઓ પ્રતિસમયે પાપસ્થાનમાં હોય છે. સારાંશ કે સંસારી જીવને જ્યાં સુધી મન-વચન અને કાયાના યોગ છે ત્યાં સુધી તેને ક્રિયા કર્યા વિના ચાલતું નથી, અને જ્યાં ક્રિયા છે ત્યાં પ્રાણાતિપાતાદિનું સેવન નકારી શકાતું નથી. પરંતુ અનંતાનુબંધી કષાયેનું પ્રાબલ્ય હણાઈ ગયું હોય કે દબાઈ ગયું હોય ત્યારે જીવાત્માને રાગ તથા દ્વેષની ચિકાસ ન હોવાથી સમજ્ઞાનના પ્રકાશમાં તે ભાગ્યશાળીઓ સમજણપૂર્વક પાપને પા૫ સમજીને તેમને ત્યાગ કરે છે, તેથી તેમનું મિથ્યાદર્શન એટલે ( સર્વે પાઘથાનાનાં નન:) સર્વથા કમજોર થાય છે અથવા હણુઈ જાય છે તેથી “નષ્ટ કાર રિત્તિ મવતિ ” અથવા “નિમિત્તામા નૈમિ તથા સમાવ:” એટલે કે કારણું નાશ પામ્યા પછી કાર્યોત્પતિ પણ શી રીતે થશે ? માટે તેવા જીને સમ્યજ્ઞાનને પ્રકાશ જેમ જેમ મળે છે અને વધે છે