________________
१०४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શ્રેયસ્કર છે. યદ્યપિ સંસારભરના બધાય કાર્યો કરતાં મનને સંયમિત કરવાનું કામ અતિ કઠણ છે, તે પણ તે માટે ધીમે ધીમે અભ્યાસ કરતા રહીયે તે એક દિવસે આત્માની જીત થશે અને મનજીભાઈને પિતાના બધાય શસ્ત્રો નીચે મૂક્યા વિના ચાલવાનું નથી.
મનને ગમન કરવા માટે બે માર્ગ છે. એક છે પાપને માર્ગ અને બીજો પુણ્યને માર્ગ છે. આ બંને માર્ગોમાંથી તમારે નિર્ણય કરવાનું રહેશે કે મારે મારા મનને કયા રસ્તે લઈ જવું. જીવનના પ્રારંભમાં જ યદિ નિર્ણય કરવામાં ભૂલ કરી લીધી તે પછીથી મન તમારા હાથમાં આવવા માટે એટલા બધા તેફાને કરશે કે તમે ક્યાંયના પણ રહેશે નહિ. માટે ટૂંકી આ માનવ જીન્દગીમાં પણ નિરર્થક પાપોમાંથી બચીએ તે માટે સદાચાર માર્ગ, સન્માર્ગ તથા પુણ્યના માગે જ પ્રયાણ કરવું કલ્યાણકારી છે. અન્યથા મનજીભાઈને માટે પાપમાર્ગ ઉઘાડે જ છે.
(ર૭) વજપુત યુવા-પાંચે ઈન્દ્રિયમાં જીભ ઇન્દ્રિય વધારે ખતરનાક હોવાથી તેના પર સખત કંટ્રોલ કરે તે વચનગુપ્તિ ધર્મ છે.
(૨૮) વારી જુવા–અને શરીરને, જે બધાય પાપનું મૂળ સ્થાન છે, આધેય છે તેને જેમ બને તેમ સર્વથા ગુપ્ત રાખવું તે કાયગુપ્તિ ધર્મ છે. આ પ્રમાણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળીને આઠને પ્રવચન માતા તરીકે કહી છે, જે યથાર્થ છે. માતાના અભાવમાં જેમ પુત્રની પ્રાપ્તિ નથી તેમ અષ્ટ પ્રવચન માતાની આરાધના અને પાલન કર્યા વિના ચારિત્ર ધર્મની પ્રાપ્તિ નથી.