________________
૦૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહુ ભા. ૩
આકાશાસ્તિકાયના પર્યાયે ડેટલા ?
ભગવંતે કહ્યું ; હે ગૌતમ ! અનેક પર્યાયાને ધરાવનારા આકાશાસ્તિકાય અસંખ્યેય પ્રદેશાત્મક, બધાય દ્રવ્યાના આધાર છે. હવે તેના પર્યાયાની વ્યુત્પતિ તથા નિયુક્તિપૂર્ણાંકની વ્યાખ્યા નીચે પ્રમાણે જાણવી.
(૧) આકાશ :-જ્યાં પ્રત્યેક દ્રચ્ા પાતપાતાના સ્વભાવને પ્રાપ્ત કરે છે.
(૨) ગગન :-સૂક્ષ્મ દ્રવ્યેાના ગમનના વિષયભૂત હાવાથી
ગગન છે.
(૩) નભ :-જેને છદ્મસ્થ કોઈ કાળે દૃષ્ટિ ગેાચર કરતા નથી. (૪) સમ :-નીચા અને ઉચાપણાથી રહિત છે. (૫) વિષમ :-છદ્મસ્થાને માટે દુ`મ હોય છે. (૬) ખહ :–પ્રલય કાળે પણ વિદ્યમાન રહેતુ હાય છે. (૭) વિદુ :-જીવાને બધાય કાર્યાં કરવાનું સ્થાન છે. (૮) વીચિ :-જુદા જુદા સ્વભાવના દ્રવ્યાને ધારણ કરે છે. (૯) વિવર :–ઢાંકણુ કરનાર કોઇ ન હેાવાથી એટલે કે આકાશને આચ્છાદિત કરનાર કોઈ નથી.
(૧૦) અખર :–માવડી જેમ પેાતાના પુત્રને જળ આપે છે તેમ આકાશ પણ જળને ધારણ કરે છે.
(૧૧) અબરસ :–આનાથી જળરૂપી રસ ઉત્પન્ન થાય છે. (૧૨) છિદ્ર :–પોલાણવાળું છે. કેમ કે સ્વયં પેાલુ હોવાથી સૌને અવકાશ આપે છે. લોંખડના ગાળામાં રહેલું